ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર માત્ર એક કારણ છે પરંતુ અન્ય પરિબળો પણ હતા જેણે ચેતન શર્મા અને તેની સમિતિના ભાવિનો નિર્ણય લેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

BCCI એ પસદંગી સમિતિને વિખેરી દીધી હતી
નવી પસંદગી સમિતિની રચનાની જાહેરાત કરીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી વર્તમાન સમિતિને હટાવી દીધી છે. જો કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂઆત પહેલા જ ચેતન શર્માના ખસી જવાની ચર્ચાઓ થવા લાગી હતી, પરંતુ ટુર્નામેન્ટમાં ફરી નિષ્ફળ ગયેલી ભારતીય ટીમ ના ખરાબ પ્રદર્શન બાદ સમગ્ર પસંદગી સમિતિને સાઈડલાઈન કરી દેવામાં આવી હતી. ખેર, તાજેતરના ઘટનાક્રમના આધારે એવું કહી શકાય કે વર્લ્ડ કપના પરિણામ ને લઈ નિર્ણય લેવાયો છે. પરંતુ આ બધા સિવાય પણ કેટલાક અન્ય કારણો છે, જેના કારણે ટીમ ઈન્ડિયા હારી ગઈ અને પછી સમિતિની રમત વિખેરાઈ ગઈ.
આ સમિતિમાં ચેતન શર્મા ઉપરાંત સુનીલ જોશી, હરવિંદર સિંહ અને દેબાશિષ મોહંતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી કોઈ પણ તેમની ચાર વર્ષની મુદત પૂરી કરી શક્યું નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે તેમની બરતરફી અંગે કોઈ સભ્યને જાણ કરવામાં આવી ન હતી. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ચારેય પસંદગીકારો હાલમાં વિજય હજારે ટ્રોફીની મેચોમાં ખેલાડીઓના પ્રદર્શન માટે અલગ-અલગ શહેરોમાં હતા. બીસીસીઆઈએ તેમને હટાવવા અંગે કોઈ માહિતી આપી ન હતી અને સીધી નવી સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
પસંદગી સમિતિ 5 કારણોસર વિખેરી દેવામાં આવી
દેખીતી રીતે, બીસીસીઆઈના આંતરિક વર્તુળમાં પસંદગી સમિતિને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે બોર્ડે આવો ઉદ્ધત નિર્ણય લીધો. આ નારાજગી માટે ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન ઉપરાંત કેટલીક અન્ય બાબતો પણ જવાબદાર માનવામાં આવી રહી છે, જેના કારણે તમામને એકસાથે બરતરફ કરવાની ફરજ પડી હતી. સમાચાર એજન્સીમના અહેવાલ મુજબ,
- છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયાની પસંદગીમાં સાતત્ય નથી. આ એક વર્ષ દરમિયાન 8 કેપ્ટનોએ અલગ-અલગ શ્રેણીમાં ટીમની કમાન સંભાળી છે. ઘણા વરિષ્ઠ ખેલાડીઓએ વર્કલોડ મેનેજમેન્ટને છૂટછાટનું બહાનું બનાવ્યું હતું અને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું ન હતું.
- ઈજા અને અન્ય કારણોસર કેએલ રાહુલ લગભગ 7-8 મહિના સુધી ઈન્ટરનેશનલ ટી20થી બહાર હતો પરંતુ તેને સીધો જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાહુલને એશિયા કપમાં જગ્યા મળી હતી, જ્યારે આ પહેલા તેને ઝિમ્બાબ્વેમાં રમાયેલી ODI સિરીઝમાં રમાડવામાં આવ્યો હતો જ્યાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો.
- ટીમ ઈન્ડિયા સાથે દરેક પ્રવાસ પર જવુ પરંતુ ટીમ મેનેજમેન્ટ સાથે મળીને ખેલાડીઓની નિશ્ચિત અને કાયમી ટીમ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે.
- 37 વર્ષીય શિખર ધવનને લઈને કોઈ નિશ્ચિત યોજના નથી કે તે આવતા વર્ષે 38 વર્ષનો થશે ત્યારે તેને ODI વર્લ્ડ કપ ટીમમાં રાખવામાં આવશે કે નહીં.
- ચેતન શર્મા અને તેમની સમિતિ આઈપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને સતત બે T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરનારા નિષ્ણાતોને તક આપી શક્યા નથી.