Saturday, November 26, 2022

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે કોડીનાર અને જૂનાગઢમાં સભા ગજવશે | Union Minister Smriti Irani will hold meetings in Kodinar and Junagadh today

જૂનાગઢ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ પક્ષોએ જીત મેળવવા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ રાજ્યભરમાં પ્રવાસ કરીને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે 26 તારીખે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બપોરે કોડીનારમાં જાહેરસભા કરશે. જે બાદ સાંજે જૂનાગઢમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરીને રાત્રે જૂનાગઢના રાયજીબાગ ખાતે જાહેર સભા સંબોધશે.

ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાત પ્રવાસ કરીને વિવિધ સ્થળે સભા કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને આપ તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શો અને સભાઓ સંબોધી રહ્યા છે. આ ઉપારાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ ગુજરાતમાં ઠેર ઠેર સભા અને રોડ શો કરી રહ્યા છે.

ગઈકાલે વલસાડની ઉમરગામ બેઠક પર સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી
કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસને આડેહાથ લીધી

વલસાડ જિલ્લાના ઉમરગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રામાં ‘પાકિસ્તાન જિંદા બાદના નારા’ આપ્યા એ પાર્ટીને કોઈ સમર્થન નહીં આપે…જેના દિલમાં હિંદુસ્તાન વસેલું હોય તે ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા ન લગાવે.

છળકપટ કરો છો હિન્દુઓથી પણ કમસેકમ ભગવાનથી તો ડરો
સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસીઓ ખાલી ચૂંટણી ટાણે જ મંદિરમાં નજર આવે છે, જ્યારે કેન્દ્રમાં તેઓની સરકાર હતી ત્યારે રિમોર્ટથી સરકાર ચલાવનાર તેમની માતાજીએ આદેશ કર્યો અને કોંગ્રેસની સરકારે કોર્ટમાં દસ્તાવેજ કર્યો કે ભગવાન રામનું કઈ અસ્તીત્વ જ નથી. જે ઢોંગ કરે છે લલાટ અને તીલક લગાવવાનું તેઓને કહેવા માગું છું કે, છળકપટ કરો છો હિન્દુઓથી પણ કમસેકમ ભગવાનથી તો ડરો.

કોંગ્રેસ પર આકરા પ્રહાર
વધુમાં પ્રહાર કરતા જણાવ્યું કે, તેઓની રાજનીતી એવી છે કે, ચૂંટણી જે પ્રદેશમાં હોય તેના આધારે મોઢેથી શબ્દો નિકળે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપો છો, જ્યારે મહારાષ્ટ્માં યાત્રા કાઢે છે ત્યારે કહે છે કે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રી કેમ જ જઈ રહી છે. હવે ગુજરાતની ચૂંટણી આવી છે તો કહે છે કે અમને મત આપો, ગુજરાતમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે, રાહુલ ગાંધી ભાષણ આપવા આવે છે તો ભરતસિંહ મંચ છોડીને ચાલ્યા જાય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સ્વિકારે છે કે જ્યા સુધી ગાંધી પરિવાર છે ત્યા સુધી એક પણ રાષ્ટ્રભક્ત જીતવા નહીં દે.

જેની નસમાં હિંદુસ્તાનનું લોહી વહેતું હોય તે પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવે

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, આપણે કોઈ પણ ધર્મ અથવા સમુદાયના હોઈએ, જેના દિલમાં હિંદુસ્તાન વસેલુ હોય. જેની નસમાં હિંદુસ્તાનનું લોહી વહેતુ હોય, એ હિંદુસ્તાની પાકિસ્તાન જિંદાબાદના નારા ન લગાવી શકે. એટલે જ આજે જનતાને કહેવા આવી છું કે, જે યાત્રામાં નિકળ્યાં છે એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે આવુ દુસ્સાહસ ગુજરાત અને ઉત્તર ભારતની જનતા સહન નહી કરે.

જય શ્રી રામનું નામ જેમના કંઠથી નિકળ્યો એમને કહેવા માંગુ છું, કે બહુ ગર્વથી જય શ્રી રામનું નામ લેવા માટે આ દેશમાં લાખોએ એમનો જીવ ત્યાગ્યો છે. એક કોંગ્રેસ એવી પણ જેનું નામ પશ્ચિમ બંગાળ ત્રિણમુલ કોંગ્રેસ છે. ત્યાં જો જય શ્રી રામના નારા લગાવવામાં આવે તો ખુલ્લા ખેતરમાં ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે છે. મીડિયાના મિત્રો ઉપસ્થિત છે. આ જનતા જનાર્દન સમજદાર છે. યુટ્યુબ અને ફેસબુક ઉપર જઈને જોઈ શકે છે કે, પશ્ચિમ બંગાળમાં જો કોઈ મહિલા, સ્ત્રી ભગવો ઝંડો લઈને જય શ્રી રામ બોલે તો એના ઘરેથી, ગળીથી, ગામથી એને ઉપાડી લેવામાં આવે છે. એટલે આભાર માનો કે તમે ગુજરાતમાં છો એવું ગર્વથી કહી શકો છો.

ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહુધા અને વાગરામાં સભા સંબોધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક સભામાં જણાવ્યું છે કે, ગુજરાતમાં અસામાજિક તત્ત્વો અગાઉ વારંવાર હિંસા કરતા અને કોંગ્રેસ તેમને છાવરતી હતી. પરંતુ એ લોકોને 2002માં એવો તે પાઠ ભણાવ્યો છે કે, તે લોકો ખો ભૂલી ગયા છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં “કાયમની શાંતિ” કરી દીધી છે. તો ખેડાના મહુધામાં કહ્યું હતું કે, કૉંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજ્જુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદાઓ હતા. આજે ગુજરાતના ગામે ગામ દાદા છે તો એક જ દાદા છે હનુમાન દાદા.

વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરુપે અમિત શાહે આ વાત ભરુચ જિલ્લાના વાગરા ખાતે એક જાહેરસભાને સંબોધતા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં (1995 પહેલાં) કોંગ્રેસનું રાજ હતું ત્યારે વારંવાર કોમી રમખાણો થતા હતા. કોંગ્રેસ પોતે જ અલગ-અલગ સમુદાયના લોકોને ભડકાવીને એકબીજાની સામે લડાવતી હતી. આ કારણથી જ છાશવારે ગુજરાતમાં કોમી રમખાણો થતા હતા. આવા રમખાણોની આગ ઉપર જ કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકતી અને પોતાની વોટબેંક મજબૂત કરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો છે. પરંતુ 2002 પછી તો ગુજરાતમાં કાયમની શાંતિ થઈ ગઈ છે. કારણ એટલું જ છે કે જે લોકો વારંવાર હિંસા કરવા અને ભડકાવવા ટેવાયેલા હતા તેમને બરાબરનો સબક શીખવાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે…