Monday, December 12, 2022

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું, મોરબી નગરપાલિકા વિસર્જિત કરાશે, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવાશે | Gujarat Govt submits affidavit in High Court, Morbi Municipality will be dissolved, 10 lakh compensation will be paid to the family of the deceased.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Govt Submits Affidavit In High Court, Morbi Municipality Will Be Dissolved, 10 Lakh Compensation Will Be Paid To The Family Of The Deceased.

અમદાવાદ44 મિનિટ પહેલા

  • દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને એક લાખનું વળતર ચૂકવવામાં આવશે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃતકોને વધારાનું વળતર ચૂકવાશે. જેમાં મૃતકોના પરિવારને 10 લાખ વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. આ સાથે જ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી નગર પાલિકા વિસર્જિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની ચૂકવણી કરાશે
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધના પ્રમાણે, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સૌથી પહેલાં મુખ્યમંત્રી રાહત કોષમાંથી 4 લાખ, વડાપ્રધાન રીલિફ ફંડમાંથી બે લાખ ચૂકવાયા છે. આ ઉપરાંત વધુ ચાર લાખ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે કુલ 10 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

મૃતકોના પરિવારને 10 લાખ વળતર ચૂકવવામાં આવશે.

મૃતકોના પરિવારને 10 લાખ વળતર ચૂકવવામાં આવશે.

હેરિટેજ ઇમારતોની જાળવણી માટે હાઇકોર્ટની ટકોર
આ કેસની સુનાવણી દરમિયાન રાજ્યના તમામ બ્રિજની સ્થિતિનો સરવે કરીને રાજ્ય સરકારે એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હતો. તે ઉપરાંત રાજ્યમાં ફરીવાર આવી કોઈ ગોઝારી દુર્ઘટના ન ઘટે તે માટેની તકેદારીઓને લઈને કોર્ટે અવલોકન કર્યું હતું. હેરિટેજ ઇમારતોની પણ ચોક્કસ જાળવણી રાખવા હાઇકોર્ટે ટકોર કરી હતી.

રિનોવેટ બાદ થોડા દિવસમાં જ પુલ તૂટી પડ્યો હતો.

રિનોવેટ બાદ થોડા દિવસમાં જ પુલ તૂટી પડ્યો હતો.

દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ
આજે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી કરાશે. એડવોકેટ જનરલની કોર્ટને ખાતરી આપવામાં આવી હતી.

દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ પણ રજૂ કરવા હાઈકોર્ટે કટોર કરી છે.

દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ પણ રજૂ કરવા હાઈકોર્ટે કટોર કરી છે.

ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા
30 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. આ બ્રિજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપે કામ સોપ્યું હતું. પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ પણ કરવામાં નથી આવી. જેથી લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આપેક્ષ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: