ભાવનગર33 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બન્ને હપ્તાની રકમ એક સાથે ચૂકવવા રજૂઆત
- નિવૃત્તોને સાતમા પગાર પંચના ચોથા અને પાંચમા હપ્તાની રકમ હજી મળી નથી
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં તારીખ પહેલી જાન્યુઆરી 2016 પછી નિવૃત્ત થયેલા શિક્ષકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓને સાતમા પગાર પંચનો ચોથો અને પાંચમો હપ્તો ચૂકવવાનો બાકી છે. ગ્રાન્ટેડ શાળાના આવા 10,000 જેટલા શિક્ષકોને સાતમા પગાર પંચના તફાવતના ત્રણ હપ્તા આપેલા છે.
અને શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2017ના રોજ કરાયેલા ઠરાવનો સરકાર દ્વારા જ અમલ કરાયો નથી. ઠરાવ મુજબ ત્રણ હપ્તા મળી ગયા હોય અને ચોથો હપ્તો 2021ના નવેમ્બર માસમાં અને પાંચમો હપ્તો 2022 ના નવેમ્બર માસમાં ઠરાવ મુજબ આપવાનો થાય છે તેમ છતાં આજ સુધી આ 10,000 જેટલા નિવૃત્ત શિક્ષકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓને મળ્યો નથી.
તારીખ પહેલી જાન્યુઆરી 2016થી 500થી વધુ ક્લાર્ક સેવક શિક્ષક અને આચાર્યના તો મૃત્યુ થઈ ગયા છે. તેમના વારસદારોને ખ્યાલ પણ નથી કે તેમના કેટલા નાણા લેવાના બાકી છે. મૃત્યુ પામેલા ઘણા કર્મચારીઓના બેંક ખાતા પણ બંધ થઈ ગયા છે.
અને મૃત્યુ પામેલા ઘણાને બીજા અને ત્રીજા હપ્તાની રકમની માહિતી મળી નથી. આ સંજોગોમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાના 10,000થી વધુ નિવૃત્ત શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી બે હપ્તા તાકીદે એક સાથે આપવા યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સહિતનાને ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ પંકજભાઇ પટેલે રજૂઆત કરી છે.