આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.

ભૂપેન્દ્ર સરકારના મંત્રીઓએ શપથ લીધા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ બાદ આજે ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળના 16 સભ્યોએ પણ શપથ લીધા હતા. જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીમંડળમાં ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી તરીકે શપથ લીધા છે. આમ, મંત્રીમંડળના કુલ 17 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા.
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. આ બાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલના અગાઉના મંત્રીમંડળના 11 મંત્રીઓ કપાયા
- જીતુ વાઘાણી
- પૂર્ણેશ મોદી
- કિરીટસિંહ રાણા
- અર્જુનસિંહ ચૌહાણ
- જીતુ ચૌધરી
- મનિષા વકીલ
- નિમિષા સુથાર
- ગજેન્દ્રસિંહ પરમાર
- વિનુ મોરડિયા
- દેવા માલમ
- બ્રિજેશ મેરજા (ટિકિટ ન અપાઇ)
નવા મંત્રીમંડળમાં CM સિવાય સંભવિત 16 સભ્ય !
- ઋષિકેશ પટેલ
- કનુ દેસાઈ
- રાઘવજી પટેલ
- જગદીશ પંચાલ
- હર્ષ સંઘવી
- કુંવરજી બાવળીયા
- બળવંતસિંહ રાજપૂત
- કુબેર ડીંડોરને
- પરસોત્તમ સોલંકી
- ભાનુ બાબરીયા
- બચુ ખાબડ
- મુળુ બેરા
- મુકેશ પટેલ
- ભીખુ પરમાર
- પ્રફુલ પાનસેરિયા
- કુંવરજી હળપતિ
દક્ષિણ ગુજરાતમાંથી 5 અમે સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનોએ શપથ લીધા છે. ટીમ ભુપેન્દ્રમાં કુલ 16 પ્રધાનોએ શપથ લીધા છે. જે અત્યારસુધીનું સૌથી નાનું મંત્રીમંડળ છે.
આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ, આસામના CM હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.