Sunday, December 4, 2022

સીવીજીલ એપ્લિકેશનમાં કુલ આચાર ‎ -સંહિતાના ભંગની 20 ફરિયાદ મળી ‎ | A total of 20 complaints of code of conduct violations were received in the CVGIL application

દાહોદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા‎

‎ દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય‎ ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી‎ અધિકારી ડો. હર્ષિત ગોસાવી અને એસ.પી‎ બલરામ મીણાએ જિલ્લા ચૂંટણી તંત્ર‎ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે‎ સુસજ્જ હોવાનું જણાવ્યુ હતું. દાહોદ જિલ્લામાં‎ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે‎ યોજાય તે માટે 6 જેટલી ટીમો કાર્યરત છે. આ‎ ઉપરાંત ખર્ચની ચકાસણી માટે કુલ 458‎ કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી‎ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ચૂંટણી‎ પ્રક્રિયા માટે 9140નો પોલીગ સ્ટાફ મતદાર‎ મથકો ઉપર ફરજ બજાવશે.

આ ઉપરાંત‎ રીસીવીગ અને ડિસ્પેચીંગ સ્ટાફની નિમણુંક‎ કરાઇ છે. તેમજ ચૂંટણી નિરીક્ષકશ્રીની‎ હાજરીમાં રેન્ડમાઇઝેશન કરી ફાળવણી કરી છે.‎ મતદાન મથકો અને ચૂંટણી અધિકારીના‎ સંકલન માટે 249 ઝોનલ અધિકારીની નિમણુંક‎ કરાઇ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં‎ સમગ્ર પ્રક્રિયાના નિરીક્ષણ માટે જનરલ‎ ઓબ્ઝર્વસ-૩, ખર્ચ ઓબ્ઝર્વસ ૨ તેમજ ૧‎ પોલીસ ઓબ્ઝર્વસ એમ કુલ ૬ ઓબ્ઝર્વસની‎ નિમણુંક કરાઇ છે.

મતદાન મથકોએ‎ ઓબ્ઝર્વરશ્રીના પ્રતિનિધિ તરીકે અને તેમના‎ માર્ગદર્શનમાં કુલ 362 કેન્દ્ર સરકારના‎ કર્મચારીઓની માઇક્રો ઓબ્ઝર્વસ તરીકે‎ નિમણુંક કરવામાં આવી છે. જે સીધા‎ ઓબ્ઝર્વસશ્રીઓને રીપોર્ટ કરશે. જિલ્લામાં‎ 993 મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરાશે‎ અને તેના માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે.‎ જિલ્લામાં સીવીજીલ એપ્લીકેશનમાં કુલ 20‎ આદર્શ આચાર સંહિતાના ભંગની ફરીયાદ‎ મળી છે. જે તમામનો આચારસંહિતા નોડલ‎ અધિકારી મારફત નિકાલ કરવામાં આવ્યો છે.‎

અન્ય સમાચારો પણ છે…

Related Posts: