દાહોદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી અને એસ.પી બલરામ મીણાએ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે સુસજ્જ હોવાનું જણાવ્યુ હતું. દાહોદ જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે 6 જેટલી ટીમો કાર્યરત છે. આ ઉપરાંત ખર્ચની ચકાસણી માટે કુલ 458 કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 9140નો પોલીગ સ્ટાફ મતદાર મથકો ઉપર ફરજ બજાવશે.
આ ઉપરાંત રીસીવીગ અને ડિસ્પેચીંગ સ્ટાફની નિમણુંક કરાઇ છે. તેમજ ચૂંટણી નિરીક્ષકશ્રીની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરી ફાળવણી કરી છે. મતદાન મથકો અને ચૂંટણી અધિકારીના સંકલન માટે 249 ઝોનલ અધિકારીની નિમણુંક કરાઇ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં સમગ્ર પ્રક્રિયાના નિરીક્ષણ માટે જનરલ ઓબ્ઝર્વસ-૩, ખર્ચ ઓબ્ઝર્વસ ૨ તેમજ ૧ પોલીસ ઓબ્ઝર્વસ એમ કુલ ૬ ઓબ્ઝર્વસની નિમણુંક કરાઇ છે.
મતદાન મથકોએ ઓબ્ઝર્વરશ્રીના પ્રતિનિધિ તરીકે અને તેમના માર્ગદર્શનમાં કુલ 362 કેન્દ્ર સરકારના કર્મચારીઓની માઇક્રો ઓબ્ઝર્વસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે સીધા ઓબ્ઝર્વસશ્રીઓને રીપોર્ટ કરશે. જિલ્લામાં 993 મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરાશે અને તેના માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જિલ્લામાં સીવીજીલ એપ્લીકેશનમાં કુલ 20 આદર્શ આચાર સંહિતાના ભંગની ફરીયાદ મળી છે. જે તમામનો આચારસંહિતા નોડલ અધિકારી મારફત નિકાલ કરવામાં આવ્યો છે.