Wednesday, December 7, 2022

બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયાને પગેલે કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યામાં કેટલાંક પ્રતિબંધો મુકાયા | Banaskantha District assembly election counting process has been followed by several restrictions within a radius of 200 meters at the centre.

બનાસકાંઠા (પાલનપુર)16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે પાલનપુરની સરકારી ઈજનેરી કોલેજ જગાણા ખાતે હાથ ધરાનાર છે. મતગણતરીની કામગીરી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે મતગણતરી કેન્દ્ર સરકારી ઈજનેરી કોલેજ, જગાણા,પાલનપુર અને તેની 200 મીટરની ત્રિજ્યામાં કેટલાંક પ્રતિબંધ મુકવા જરૂરી અને આવશ્યક જણાતા આનંદ પટેલ જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ મળેલ સત્તાની રૂએ વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-2022 ની મતગણતરી અન્વયે તા.08/12/2022ના રોજ સવારના 5:00 કલાક થી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી ઈજનેરી કોલેજ જગાણાના નિયત થયેલ મતગણતરી કેન્દ્ર અને તેની 200 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ ફરમાવ્યા છે.
કઈ કઈ વસ્તું પર પ્રતિબંધ મુકાયો?
મતગણતરી કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યકિતઓની મંડળી, સભા કોઈએ ભરવી નહિ કે બોલાવવી નહિ કે સરઘસ કાઢવુ નહિ. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ વ્યકિત વાહન લઈ જઈ શકશે નહિ.

કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશપાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશપાસ ઈશ્યૂ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મત ગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મત ગણતરી કેન્દ્રના મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો, આઇપેડ, લેપટોપ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે જે ઓડિયો અથવા વિડિયો રેકોર્ડ કરી શકે છે તેવા લઈ જઇ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહિ.

ઓબ્ઝર્વર સિવાયની કોઈપણ વ્યક્તિને ઉમેદવાર કે નિર્વાચન અધિકારી મદદનીશ નિર્વાચન અધિકારી પણ નહીં મતગણતરી હોલમાં મોબાઈલ ફોન લઈ જવા દેવામાં આવશે નહીં.

જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ નિર્વાચન અધિકારીઓ કોઈ જરૂર જણાય તો ઉમેદવાર તેમના એજન્ટ વિગેરેના મોબાઈલ ફોનનો ઉપયોગ કરાવવા જે રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ હોય તેમાં જ જઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે. વરિષ્ઠ અધિકારીઓ માટે તેમજ ઉમેદવાર અને તેમના એજન્ટ પ્રતિનિધિઓના વગેરેના મોબાઇલ જાહેર સંપર્ક કક્ષમાં સુરક્ષિત મૂકવાના રહેશે.

સદરહુ આદેશ ચૂંટણી આયોગના નિરીક્ષકઓ, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, કાઉન્ટીંગ સુપરવાઈઝરના ETPBS સાથે જોડાયેલ ફોન (OTP મેળવી લોગ ઈન થયા બાદ સ્વીચ ઓફ મોડમાં રહેશે)“ ENCORE ” દ્વારા ગણતરી ડેટાને પ્રસારિત કરવા માટે સત્તાવાર ઉપયોગ માટે જરૂરી કોમ્પ્યુટર લેપટોપ અથવા મોબાઈલ ઉપકરણને લાગુ પડશે નહિ.

સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારોને વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/ મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય/ સક્ષમ સત્તાધિકારી દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલા છે તેવા પત્રકારો મત ગણતરી કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ મીડિયા સેન્ટર/ કોમ્યુનિકેશન સેન્ટર સુધી જ મોબાઈલ સાથે લઈ જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઇલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.

જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મતગણતરી કેન્દ્રમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોઇ મત ગણતરી કેન્દ્રના મકાન તેમજ કમ્પાઉન્ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.

મતગણતરી કેન્દ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીએ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્ક કરવાનુ રહેશે. મત ગણતરી મકાન કેમ્પસની આજુબાજુ 100 મીટરના ઘેરાવાને “રાહદારી વિસ્તાર” તરીકે સીમાંકિત કરી આ વિસ્તારમાં વાહન પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: