ભરૂચ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ-2022નું પ્રદર્શન યોજાયું હતું. જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને નર્મદા કેળવણી મંડળ શુકલતીર્થ સંચાલિત નર્મદા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ-2022નું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીના હસ્તે રીબીંગ કટિંગ કરી પ્રદર્શનીને ખુલ્લી મુકવામાં આવી હતી.

153 કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી
આ પ્રદર્શનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી 153 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ પ્રદર્શનીનું આમંત્રિત મહેમાનો નિહાળી હતી. આ પ્રદર્શનમાં શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલ, જિલ્લા સંઘના પ્રમુખો અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અલ્પાબેન ઠક્કર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.