Thursday, December 1, 2022

વલસાડમાં આજે બળદને ઉડાડ્યો, ટ્રેને બે મહિનામાં એક મહિલા અને 5 પશુઓને અડફેટે લીધા | Bull run over in Valsad today, train runs over a woman and 5 cattle in two months

વલસાડ22 મિનિટ પહેલા

આજથી 23 દિવસ પહેલા આણંદમાં એક મહિલાને અડફેટે લીધા બાદ અમદાવાદથી મુંબઇ તરફ જતી વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો છે. ઓક્ટોબર મહિનામાં ત્રણ વખત, નવેમ્બર મહિનામાં એક વખત અકસ્માત થયા બાદ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ અકસ્માત થયો હતો. આજે વલસાડના ઉમદવાડા રેલવે સ્ટેશનમાં બળદને ટ્રેને અડફેટે લીધો હતો. અમદાવાદમાં ભેંસ સાથે, આણંદમાં ગાય સાથે તેમજ એક મહિલાને અડફેટે લીધી હતી. આ ઉપરાંત વલસાડમાં બળદ સાથે અથડાઈ હતી. ત્યારે આજે પણ વલસાડમાં બળદ સાથે જ અથડાઈ છે.

ટ્રેનમાં પણ નુકસાન પહોંચ્યું
અમદાવાદથી મુંબઇ તરફ જતી વંદે ભારત ટ્રેનનો ફરી એક વખત અકસ્માત થયો છે. વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન બળદ સાથે ટ્રેનની ટ્રક્કર થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બળદનું મોત થયું હતું. તેમજ ટ્રેનમાં પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતા સંજાણ રેલવે સ્ટેશન નજીક ટ્રેનને અટકાવવી પડી હતી. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક સંજાણ રેલવે સ્ટેશન પહોંચી ટ્રેનના કેટલ રન ઓવરને રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી.

​​​​20 મિનિટ બાદ ટ્રેનને ફરી રવાના કરાઈ
ઉદવાડા સ્ટેશનને વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી ગયો હતો. વંદે ભારત ટ્રેનના પાયલોટે ગૌ વંશ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાં બળદ અડફેટે આવી ગયો હતો. અકસ્માત બાદ વંદે ભારત ટ્રેન ઉદવાડા રેલવે સ્ટેશનથી પસાર થઈ ગઈ હતી. ટ્રેનના ગાર્ડમાં નુકસાની પહોંચી હતી. ઘટના અંગે સંજાણ રેલવે સ્ટેશનનના સ્ટેશન માસ્તરને જાણ કરી મેન્ટેન્સ સ્ટાફની મદદ માંગી હતી. સંજાણ રેલવે સ્ટેશન ખાતે તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 20 મિનિટ બાદ વંદે ભારત ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી.

અમદાવાદમાં ભેંસ સાથે અકસ્માત.

અમદાવાદમાં ભેંસ સાથે અકસ્માત.

અગાઉ પણ રખડતાં ઢોરને લઈ અકસ્માત થયા હતા
વંદે ભારત ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનનો ત્રણ વખત અકસ્માત થયો હતો. જે બાદ ચોથી વખત આણંદમાં અકસ્માત થયો હતો. 6 ઓક્ટોબરને ગુરુવારે અમદાવાદના વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અડફેટે બે ભેંસ આવી ગઈ હતી. ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી જતાં ટ્રેનના ચાલકે એને રોકવા પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં બન્ને ભેંસ ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું.

આણંદમાં અકસ્માત.

આણંદમાં અકસ્માત.

ટ્રેનને અમદાવાદ, આણંદ અને વલસાડમાં અકસ્માત નડ્યો
અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાયાના બીજા જ દિવસે 7 ઓક્ટોબરને શુક્રવારે આણંદના કણજરી પાસે ગાય અથડાતાં અકસ્માત થયો હતો, જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. સતત બે દિવસ પશુ વચ્ચે આવી જતાં વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. એ બાદ 29 ઓક્ટોબરને શનિવારે વલસાડના અતુલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની અડફેટે બળદ આવી જતાં અકસ્માત થયો છે, જેમાં બળદનું મોત થયું હતો. જ્યારે ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું. જે બાદ વંદેભારત ટ્રેનની અડફેટે એક મહિલા આવી જતા તેનું મોત થયું હતું. ત્યારે આજે 1 ડિસેમ્બરે વલસાડમાં વંદે ભારતની અડફેટે બળદ આવી જતા અકસ્માત થયો હતો.

આણંદમાં એક મહિલાને અડફેટે લીધી હતી.

આણંદમાં એક મહિલાને અડફેટે લીધી હતી.

આ ઉપરાંત 8 ઓક્ટોબરે દિલ્હીથી વારણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેન બંધ પડી ગઈ હતી. ટ્રેન લગભગ 5 કલાક સુધી ખુર્જા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યાં હતા.
ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેનને PMએ લીલીઝંડી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવાય છે. લીલીઝંડી બતાવ્યા બાદ તેમણે ગાંધીનગરથી કાલુપુર સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: