Monday, December 26, 2022

કાંકરિયા કાર્નિવલ હવે વહેલો બંધ કરી દેવામાં આવશે, સાંજે 6 થી રાત્રે 9 સુધી જ કાર્યક્રમો યોજાશે | Kankaria Carnival will now be closed early, events will be held from 6 pm to 9 pm only

અમદાવાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચીન સહિતના કેટલાંક દેશોમાં કોરોનાં વધતા કેસોની વચ્ચે અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ રવિવારે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલ માં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે ત્યારે કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી સાંજે 6થી રાતે 9 વાગ્યા સુધી જ કાર્નિવલ ચાલશે. અગાઉ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્નિવલના તમામ કાર્યક્રમો યોજવાના હતા પરંતુ આજથી જ કાર્નિવલના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલમાં આવનારા લોકોને માસ્ક આપવામાં આવે છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવીરહ્યો નથી. પ્રવેશ મેળવનારા લોકોને સેનીટાઇઝ પણ કરવામાં આવી રહ્યાં છે. કાંકરિયા કાર્નિવલમાં 100 જેટલા વોલેન્ટીયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ પર અલગ અલગ દિવસે રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે 9 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે. કાકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નાગરિકોની સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાકરીયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે અને વિના મૂલ્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે. નાના બાળકો મનોરંજન માળી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…