Thursday, December 15, 2022

પાટણમાં સરદાર પટેલના 72માં નિર્વાણદિન નિમિત્તે રાજકીય પક્ષોએ માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પી | On the occasion of Sardar Patel's 72nd Nirvana Day in Patan, political parties paid tribute by offering garlands.

પાટણ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિવસની સમગ્ર દેશવાસીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે પાટણ શહેરના બગવાડા ચોક ખાતે પ્રસ્થાપીત કરેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તો ભાજપના કાર્યકરોએ પણ સરદારની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી.

સરદાર પટેલ તુમ અમર રહોના નારા લાગ્યાં
ભારતના ભાગ્યવિધાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં 30 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો. ત્યારે યુવાનકાળમાં પહેલેથી જ રાષ્ટ્રભાવનાને લઈ તેઓએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યુ હતું. તે સમયે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશના દેશી રજવાડાઓને એક જ રાતમાં એકત્રિત કરી ભારતને અખંડ બનાવ્યુ હતું, ત્યારે 1947 ભારત દેશ આઝાદ થયાના ત્રણ વર્ષ બાદ એટલે કે, 15 ડિસેમ્બર ઈ.સ. 1950ના રોજ સરદારનું બિરુદ પામેલા ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું અવસાન થયું હતું, ત્યારે આજે તેમના 72માં નિર્વાણદિન નિમિત્તે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની આગેવાની હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર પટેલ તુમ અમર રહો…જય સરદાર જેવા નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા.

વિવિધ અગ્રણીજનો હાજર રહ્યાં
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે, સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતો અને ગુજરાતના વહીવટ માટે જે સપના જોયા હતા તે સપના સત્તાધીશ સરકાર સાકાર કરે તેવી અપીલ કરી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, ભરત ભાટીયા, હુસેનમીયા સૈયદ, દિનેશ ભીલ સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
ભાજપ પક્ષના કાર્યકરોએ પણ સરદારને શ્રદ્ધાંજલી અર્પી
પાટણના ભાજપ પક્ષના કાર્યકરોએ બગવાડા ચોક ખાતે પ્રસ્થાપિત સરદારની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: