Monday, December 5, 2022

રાજકોટમાં 84 વર્ષીય વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ, 108ની એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ એરલિફ્ટ કરાયા | An 84-year-old man developed nerve infection in Rajkot and was airlifted to Mumbai by 108 Air Ambulance.

રાજકોટ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યના છેવાડાની હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરોની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય અને તેમને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી 8 મહિના પહેલા એર એમ્બ્યુલન્સની સર્વિસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના એક વૃદ્ધાને ચેતાતંતુમાં ઈન્ફેક્શન ફેલાયુ હતું. અને તેમની સારવાર પણ રાજકોટમાં પડકારજનક હતી. આવા સમયે 108ની એર એમ્બ્યુલન્સ મારફત તેમને મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે જે આ ગુજરાતનો બીજો કિસ્સો છે. આ પૂર્વે રાજકોટના જ એક દર્દીને ચેન્નાઇ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઈન્ફેકશનના કારણે બેભાન થઈ ગયા
આ અંગે 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 84 વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા. દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતા, જેના લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને આંચકી – ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તત્કાલ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું. 108ને આ અંગે માહિતી મળતા108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.

એર એબ્યુલન્સની વિશેષતા
એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જયારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જયારે અમદાવાદથી આવતી એર એબ્યુલન્સ ખુબ ઝડપથી ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.

એર એમ્બ્યુલન્સમાં આ સુવિધાઓ ઉપલબ્ધ
108 સેવા સાથે જોડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ 108 વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં એમ.બી.બી.એસ. ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોઈ છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

એર એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે પ્રક્રિયા
આ માટે સૌપ્રથમ 108માં કોલ કરવો પડે છે, કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલનસ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે.આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે 108 વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે…