Saturday, December 3, 2022

એચ.એ.કોલેજના પ્રિન્સીપાલે સ્ટુડન્ટ્સ પાસે માફીપત્ર લખાવ્યો, ABVP વિફરી તો પ્રિન્સીપાલે પણ 'જયશ્રી રામ'ના નારા લગાવ્યા | Allegedly written apology letter chanting slogans of ABVP's Hanuman Chalisa, Jayashree Ram outside Principal's office

અમદાવાદ2 મિનિટ પહેલા

અમદાવાદની GLS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એચ.એ કોમર્સ કોલેજમાં જય શ્રી રામના નારાને લઈને વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજમાં લેક્ચર બાદ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જે માટે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે ન્યુસન્સ ફેલાવવા માટે માફી પત્ર લખાવ્યો હતો. સમગ્ર મામલે ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો છે.

લેક્ચર બાદ વિદ્યાર્થીઓએ જયશ્રી રામના નારા લગાવ્યા
એચ.એ કોમર્સ કોલેજમાં 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રી રામના લગાવી રહ્યા હતા. આ નારા લગાવતા એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતા. 5 વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. એચ.એ કોલજના પ્રીન્સિપાલ સંજય વકીલે આ મામલે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ન્યુસન્સ ફેલાવી રહ્યા છો, તમે માફી પત્ર આપો નહીં તો રસ્ટીકેટ કરવામાં આવશે. જેથી 5 વિદ્યાર્થીઓએ પોતાનાં નામ સરનામાં સાથે પ્રિન્સિપાલના નામે માફી પત્ર લખ્યો હતો.

વિદ્યાર્થીઓ પાસે માફીપત્ર લખાવાયું
માફી પત્રમાં વિદ્યાર્થીઓ પાસે લખાવ્યું હતું કે, અમે વર્ગખંડમાં જય શ્રી રામ બોલીને ગેરવર્તન કર્યું છે, અમે જય શ્રી રામ બોલ્યા જેથી વર્ગખંડમાં તકલીફ થઇ છે. અમે નારા લગાવ્યા તે બદલ માફી માંગીએ છીએ. આ પત્ર લખાવીને ફરીથી વર્ગમાં જય શ્રી રામન નારા ના લગાવવા વિદ્યાર્થીઓ પાસેથી ખાતરી લેવામાં આવી હતી.

ABVPએ વિરોધ નોંધાવતાં પ્રિન્સિપાલે પણ નારા લગાવ્યા
આ સમગ્ર મામલે ABVPને જાણ થતાં ABVPએ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ભગવાનના નામ બોલવા માટે માફી પત્ર લખવતા ABVPએ માફી પત્ર લખાવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો. જોકે બાદમાં પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ABVPના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

ABVPએ પ્રિન્સિપાલનો ઉગ્ર વિરોધ કર્યો
ABVPના GLS યુનિવર્સિટીના ઉપપ્રમુખ ચાહત ઠાકોરે જણાવ્યું હતું કે, ભગવાનનું નામ લેવામાં પ્રિન્સિપાલ માફી પત્ર લખાવે તે ના ચલાવી લેવાય. પ્રિન્સિપાલનો અમે ઉગ્ર વિરોધ કર્યો હતો. પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે. આ અંગે એચ.એ કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહતો.

ડરને માફી પત્ર લખ્યું હોવાનો વિદ્યાર્થીએ જણાવ્યું
એચ.એ કોલેજના વિદ્યાર્થી શિવમ બંસલે જણાવ્યું હતું કે, અમે લેક્ચર પહેલા જય શ્રી રામના લગાવ્યા હતા, તો અમને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા. બીજા વિદ્યાર્થીઓ ડરી ગયા એટલે તે સમયે અમે માફી પત્ર આપી દીધો હતો.અમે નારા લગાવીને ખોટું કામ નથી કર્યું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: