Thursday, December 15, 2022

Ahmedabad : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મહોત્સવની મુલાકાત લીધી. આ પ્રમુખનગરીમાં બાળકો દ્વારા, બાળકો માટે તૈયાર કરાયેલી બાળનગરી આકર્ષણનું કેન્દ્ર બની છે.. આ બાળનગરીની વિશેષતા એ છે કે તેનું સંપૂર્ણ સંચાલન બાળકો કરી રહ્યા છે.. આ સાથે જ ખાસ પ્રકારના સ્કોટિસ મ્યુઝિક બેન્ડે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

Ahmedabad : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત લીધી

HM અમિત શાહે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી

અમદાવાદનાઅમદાવાદ પોલીસે મુખ્યપ્રધાનની લીધી શુભેચ્છા મુલાકાત, ભૂપેન્દ્ર પટેલે કહ્યુ મજૂર-શ્રમિકો હેરાન ના થાય તે જોજો આંગણે શરૂ થયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ગઈકાલે પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું.. ત્યાર બાદ આજથી જાહેર જનતા માટે આ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે.. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં VVIP મહેમાનો આવશે.જે અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ મહોત્સવની મુલાકાત લીધી. આ પ્રમુખનગરીમાં બાળકો દ્વારા, બાળકો માટે તૈયાર કરાયેલી બાળનગરી આકર્ષણનું કેન્દ્ર બની છે.. આ બાળનગરીની વિશેષતા એ છે કે તેનું સંપૂર્ણ સંચાલન બાળકો કરી રહ્યા છે.. આ સાથે જ ખાસ પ્રકારના સ્કોટિસ મ્યુઝિક બેન્ડે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

શતાબ્દી મહોત્સવ માટે ગોંડલના સત્સંગી યુવાનોએ 5 મહિના પ્રેક્ટિસ કરી છે.. અને 5 મહિનાની પ્રેક્ટિસ બાદ તેઓ સ્કોટલેન્ડના પ્રખ્યાત મ્યુઝિક બેન્ડ માટે સક્ષમ બન્યા છે.. આ મહોત્સવમાં ભાગ લેવા અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે

પીએમ મોદીએ ઉદ્ધાટનમાં પ્રમુખ સ્વામી સાથેના સંસ્મરણો યાદ કર્યા

પીએમ મોદીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું 14 ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડાપ્રધાને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તમારામાંથી કદાચ અનેક લોકોને ખબર હશે કે યુ.એન.માં પણ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો છે. આ પુરાવો છે એ વાતનો કે તેમના વિચારો કેટલા શાશ્વત અને કેટલા સાર્વભૌમી છે. આપણી મહાન પરંપરા સંતો દ્વારા પ્રસ્થાપિત વેદથી વિવેકાનંદ સુધી જે ધારાને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોએ આગળ વધારી તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના આજે શતાબ્દી સમારોહમાં દર્શન થઈ રહ્યા છે.

ગત રોજ શાસ્ત્રોક્ત વિધી સાથે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. એક મહિના સુધી 15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. અહીં વિશાળ સંખ્યામાં BAPSના સ્વયંસેવકો સેવારત છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે.

અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા પણ આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે સાથે જ psm100 Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ એપ્લિકેશનના માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.