السبت، 31 ديسمبر 2022

રાણાવાવમાં વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ ગેસની બોટલ ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવ્યો | Ban on use of household gas cylinders for commercial purposes in Ranawav

પોરબંદર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાણાવાવ મામલતદાર દ્રારા વાણિજ્યિક હેતુ માટે ઘરગથ્થુ વપરાશ માટેના ગેસના બાટલાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાણાવાવ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7ને ધ્યાને લેતા ઘરગથ્થુ ઉપયોગ માટે ઘરગથ્થુ વપરાશ અંગેનો ગેસનો બાટલો વાપરવા પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. તથા ઘરગથ્થુ વપરાશ અંગેના બાટલા હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો, ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ માટે ગેસનો બાટલો વાપરી શકાશે નહી.

ભંગ કરનારને નાણાકીય દંડ તથા કેદની સજા
જેથી હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, ફરસાણની દુકાનો, ફાસ્ટફુડની દુકાનો તથા ચા-કોફીની દુકાનો જેવી વાણિજ્યિક પ્રવૃતિ સાથ સંકળાયેલા તમામને રાંધણગેસ સિલિન્ડર ઘરગથ્થુ સિવાયના વ્યાપારિક હેતુ માટેના ગેસના બાટલાનો ઉપયોગ કરવાનો રહેશે. અન્યથા આવશ્યક ચીજવસ્તુ ધારો-1995ની કલમ-7 અને પેટ્રોલીયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ-2000ની કલમ-7 અન્વયે નાણાકીય દંડ તથા કેદની સજા થશે. તેમ મામલતદાર રાણાવાવની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.