આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ!
જાહેરનામા પ્રમાણે સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઇ ટેકરાથી બોડીલાઇન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઇ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે.આ પણ વાંચો: જોત જોતામાં જ બે યુવાનો બાઈક સાથે ખાડામાં ખાબક્યા
પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેવા તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે આજે સાંજે કલાક ૨૦.૦૦ વાગ્યાથી તારીખ 01/01/2023ના રાત્રિના 03:00 વાગ્યા સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
આ પણ વાંચો: અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ
આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે કાર્યવાહી
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. શહેરના આ વિસ્તારોમાં વાહનો પાર્કિંગ કરવા પર અને ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 31st Dec Party, 31st december, 31st Party, Ahmadabad Police, CG Road, SG Highway