السبت، 31 ديسمبر 2022

વડોદરામાં સરસિયા તળાવ મંદિર નજીક બે વર્ષનો બાળક અરુણ ખાડામાં પડી ગયો, બચાવી લેવાયો

ગુજરાતમાં હવે ખાડાઓ એટલા સામાન્ય થઈ ગયા છે કે  જ્યાં સુધી કોઈ એમાં પડે નહીં કે જીવ ન ગુમાવે ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. એક હચમચાવી મૂકે એવી ઘટના વડોદરામાં બની છે જેના કારણે ફરીથી આ ખાડાઓને લઈને ચર્ચા જાગી છે.

માત્ર બે વર્ષનો બાળક ખાડામાં પડ્યો 

વડોદરામાં બનેલી એક દુર્ઘટનામાં માત્ર બે વર્ષનો  2 વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. આ ઘટના સરસિયા તળાવ મંદિર નજીક બની હતી. ખાડાઓ અંગે બાળકોનું ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ આવો ઊંડો ખાડો કોણે ખુલ્લો મૂકી દીધો એ હવે મહત્વનો સવાલ છે. કારણ કે એક બે વર્ષનો બાળક જેનું નામ અરુણ છે તે આ ખાડામાં પડ્યો હતો અને ત્યાર બાદ તેને બહાર કાઢવા માટે સ્થાનિકો સહિત તંત્ર ધંધે લાગી ગયું હતું.

Published by:Mayur Solanki

First published:

Tags: Rescue, Vadodara, વડોદરા સમાચાર


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.