Monday, December 26, 2022

ગીર-સોમનાથના સરપંચો દીપડાથી કંટાળ્યા, ઠાર કરવા કે ખસીકરણ કરવાની માગ કરી

દિનેશ સોલંકી, ગીર-સોમનાથઃ છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડાઓનો આતંક વધી ગયો છે. લોકો દીપડાને કારણે ત્રાહિમામ્ પોકારી ગયા છે. લોકોની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. ગમે ત્યારે દીપડા આવીને પશુઓ સહિત માણસો પર હુમલો કરે છે. આમ, માનવભક્ષી દીપડાઓથી કંટાળીને કોડીનાર સરપંચ સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.

મામલતદારને આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સહિત આસપાસના તાલુકાના સરપંચો ભેગા મળી એક જ માંગ કરી રહ્યા છે કે, દીપડાની જાતિને નાબૂદ કરો. થોડા સમય પહેલાં જ કોડીનારના ઘાંટવડ ગામે એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી. ત્યારબાદ સરપંચ મેદાનમાં આવ્યાં છે. કોડીનાર મામલતદારને ને આવેદન પત્ર આપ્યું છે. કોડીનારના તમામ ગામોમાં હાલ દીપડાઓ વસવાટ કરી રહ્યા હોવાનું સરપંચ એસોસિએશનનું કહેવું છે.આ પણ વાંચોઃ ભરશિયાળે કેસર કેરી વેચાવા લાગી!

ખસીકરણ કરવાની માગણી

એસોશિએસન કહે છે કે, અહીં માત્ર દીપડા જ નહીં સિંહ અને દીપડાઓ મોડી રાત્રે ગામડાઓમાં આવી રહ્યા છે. તો વાડી વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં આંટાફેરા કરી રહ્યા છે. અનેક એવા ગામો છે, જ્યાં રાત થતા જ સિંહ અને દીપડો ઘૂસી રહ્યા છે. જો કે, સરપંચોનું કહેવું છે કે, સિંહ રોયલ પ્રાણી છે તેનાંથી અમને ડર નથી પરંતુ દીપડાઓ હવે ન જ જોઈએ. દીપડાઓને ગોળી મારીને શૂટ કરી નાંખવા જોઈએ કે પછી તેમનું ખસીકરણ કરી નાંખવું જોઈએ.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની કોલ્ડવેવની આગાહી

ફેન્સિંગના નિયમો હળવા કરવા માગણી

સરકારે ખેડૂતોને દિવસમાં વીજળી આપતા મોટી રાહત તો મળી જ છે પરંતુ સમસ્યા એ છે કે, રાત્રે નીલગાય, ભૂંડ અને રોઝથી પાકોનું રખોપું કરવું ફરજિયાત બન્યું છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. સરકાર પાસે સરપંચોએ માંગ કરી છે કે, ખેડૂતોને ખેતી ના પાક બચાવવા મળતી ફેનસિંગના નિયમો હળવા કરવા જોઈએ. તેમજ તાત્કાલિક ધોરણે ફેનસિંગ કરાવવું જોઈએ. કારણ કે અહીં ફેન્સિંગ ના જડ નિયમોમાંથી પસાર થયા બાદ પણ વર્ષો વીત્યા બાદ વારો આવે છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Gir Somnath news, Leopard, Leopard attack