તેની સાથે સાથે નોરા ફતેહી એ આ મામલે ઘણા મીડિયા હાઉસ પર પણ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નોરા એ આરોપ લગાવ્યો છે કે, જેકલીન ફર્નાન્ડીઝ પોતાના ફાયદા માટે મારુ કરિયર બરબાદ કરી રહી છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx
મહાઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે વિવાદમાં ફસાયેલી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ હવે સામસામે આવી ગઈ છે. મહાઠગ સુકેશના 200 કરોડ રુપિયાના ઠગીના કેસમાં સહ આરોપી સાબિત થયેલી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી હવે વધી છે. અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી એ જેકલીન ફર્નાન્ડીઝ વિરુધ્ધ માનાહાનિનો કેસ દાખલ કર્યો છે. નોરા એ જેકલીન વિરુધ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. તેની સાથે સાથે નોરા ફતેહી એ આ મામલે ઘણા મીડિયા હાઉસ પર પણ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નોરા એ આરોપ લગાવ્યો છે કે, જેકલીન ફર્નાન્ડીઝ પોતાના ફાયદા માટે મારુ કરિયર બરબાદ કરી રહી છે.
મહાઠગ સુકેશ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીનની સાથે સાથે ED એ નોરા ફતેહીની પણ પૂછપરછ કરી હતી. પણ હવે આ કેસમાં બંને બોલિવૂડ અભિનેત્રીઓ સામસામે આવી ગઈ છે. નોરા એ માનહાનિ કેસમાં દાવો કર્યો છે કે સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા આ કેસમાં તેને ખોટી રીતે આરોપી બનાવાવનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે તેનો સુકેશ સાથે કોઈ સીધો કોન્ટેક્ટ ન હતો. નોરા તેની પત્નીને કારણે સુકેશને જાણતી હતી. તેણે એ પણ જણાવ્યુ છે કે તેણે સુકેશ પાસેથી કોઈ પણ ગિફ્ટ લેવાનો ઈનકાર કર્યો હતો.
જેકલીન પર નોરાનો આ આરોપ
નોરા એ કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં કહ્યુ છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં મારુ નામ આવતા મારા સમ્માન પર પ્રભાવ પડયો છે. તેણે દાવો કર્યો છે કે આ કેસને કારણે તેણે ઘણી ઈન્ડોર્સમેન્ટ ડીલ ગુમાવવી પડી છે. મોટા પ્રોજેક્ટ તેના હાથમાંથી જતા રહેતા તેને ઘણુ નુકશાન થયુ હતુ. તેના માટે નોરા એ જેકલીનના ખોટા નિવેદન અને મીડિયા ટ્રાયલને જવાબદાર ગણાવ્યા છે. આ માનહાનિ કેસમાં કોર્ટ 19 ડિસેમ્બરના રોજ સુનવણી કરશે.
નોરા દ્વારા આ માનહાનિ કેસ ત્યારે દાખલ કરવામાં આવી છે જ્યારે કોર્ટમાં જેકલીને લેખિતમાં જણાવ્યુ હતુ કે, ઈડી તેને ખોટી રીતે ફસાવી રહી છે. જ્યારે નોરા ફતેહી જેવા સેલેબ્સને પણ સુકેશ ચંદ્રશેખરે ગિફ્ટ આપ્યુ હતુ, પણ તેમને આ કેસમાં સાક્ષી કે સાબિતી રુપે લાવવામાં આવ્યા નહીં.
નોરા ફતેહી એ દાખલ કરેલી આ માનહાનિ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, જેકલીન એ ફરિયાદકર્તા નોરા ફતેહીને આપરાધિક રુપમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેના ફાયદા માટે તેણે નોરાનું કરિયર બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે બંને બોલિવૂડમાં કામ કરે છે, બંને ભારત બહારથી આવીને બોલિવૂડમાં કામ કરી રહી છે. તે સિવાય અન્ય અનેક કારણસર જેકલીન નોરાને બદનામ કરી રહી છે.