Monday, December 12, 2022

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે કોઇપણ શરત વગર આપ્યા જામીન

દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે વિપુલ ચૌધરી જેલમાં બંધ હતા. 2005થી 2015ના ડેરીમાં સાશન દરમ્યાન ગેરરીતિ કેસમાં જામીન મળ્યા છે.

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે કોઇપણ શરત વગર આપ્યા જામીન

દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના જામીન મંજુર

મહેસાણા જિલ્લાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી મંજુર થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે કોઈપણ શરત વગર વિપુલ ચૌધરીના જામીન મંજુર કર્યા છે. દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે વિપુલ ચૌધરી જેલમાં બંધ હતા. 2005થી 2015ના ડેરીમાં સાશન દરમ્યાન ગેરરીતિ કેસમાં જામીન મળ્યા છે.

320 કરોડથી વધુના કૌભાંડનો આરોપ

અગાઉ વિપુલ ચૌધરી સામે થયેલી કાર્યવાહી મુદ્દે ACBના જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતુ કે 2005 થી 2016 સુધી ગેરરીતિ આચરવામાં આવી હતી.આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 320 કરોડથી વધુના કૌભાંડ કર્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી, તેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ આચરી હતી.  કરોડોના બાંધકામ કરાવ્યા હતા, જે બાંધકામ માટે પણ SOPનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો. અને ડેરીમાં ભ્રષ્ટાચાર કરીને વિપુલ ચૌધરીએ 31 કંપની ખોલી હતી જેમાં મની લોન્ડરિંગ આચરી હોવાનું સામે આવ્યુ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..