Tuesday, December 13, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» શું તમે પણ ખાંડનો વિકલ્પ શોધી રહ્યા છો? તો જાણો શું છે બ્રાઉન સુગરથી પણ ઉત્તમ વિકલ્પ
ડિસેમ્બર 13, 2022 | સાંજે 6:49
TV9 ગુજરાતી | સંપાદિત: કુંજન શુકલ
ડિસેમ્બર 13, 2022 | સાંજે 6:49
ખાંડએ સ્વાસ્થ માટે હાનિકારક છે જેના કારણે લોકો ખાંડ ખાવાનુ છોડી દે છે અથવા તો તેના વિકલ્પના સ્વરુપે બ્રાઉન સુગર ખાવાનુ પસંદ કરે છે. પરંતુ શું તે બ્રાઉન શુગર ખાવામા ફાયદાકારક છે કે નહી તે આજે જાણીશું
સફેદ ખાંડ અને બ્રાઉન સુગર વચ્ચે સ્વાદ, રંગ અને તેની પ્રક્રિયામાં તફાવત છે. પરંતુ સફેદ ખાંડ અને બ્રાઉન સુગર બંનેમાં કેલરી અને પોષક તત્વો સમાન છે. નિષ્ણાતોના મતે જો તમે સફેદ ખાંડ જેટલી જ બ્રાઉન સુગર ખાતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
સફેદ ખાંડ અને બ્રાઉન સુગર બંને ખાંડ બનાવવાની શરુઆતની પ્રક્રિયા સમાન હોય છે. પરંતુ સફેદ ખાંડમાં વધુ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાંડ બનાવવા માટે સૌ પ્રથમ શેરડીનો રસ કાઢીને ગોળ તૈયાર કરવામાં આવે છે અને તેમાથી જ બ્રાઉન સુગર બનાવવામા આવે છે. જયારે સફેદ ખાંડ બનાવવામા વધુ કેમિકલનો ઉપયોગ કરવામા આવે છે.
સફેદ ખાંડ અને બ્રાઉન સુગર બંનેના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે, પરંતુ બ્રાઉન સુગરમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને કોપર પણ ઉપલબ્ધ હોય છે. પરંતુ, આજકાલ બ્રાઉન સુગર બનાવવા માટે આડેધડ રીતે કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે.
જો તમે બ્રાઉન અને વ્હાઇટ સુગરને ખાવા નથી માંગતા અને તેવામા ત્રીજો વિકલ્પ પસંદ કરવા માંગતા હોવ તો તમારે નારિયેળની ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરવો જોઈએ. આજે પણ ભરતના મોટાભાગની જગ્યાએ નારિયેળની ખાંડ અથવા ગોળ કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.