જામનગર10 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર શહેરમાં રહેતા અને તાજેતરમાં જ જામનગર દક્ષિણ બેઠક પર આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડેલા વિશાલ ત્યાગી સામે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાવીન નકુમ નામના વ્યકિતએ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા વિશાલ ત્યાગીના કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ફ્લાવર લગાવવાનું કામ રાખ્યું હતું. જે કામ કર્યા બાદ વિશાલ ત્યાગીએ કામના 25 હજાર રૂપિયા અને ત્રણ લાખના આર્ટિફિશિયલ ફ્લાવર પરત ન આપતા જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિશાલ ત્યાગી આજે શ્રીનાથજી દર્શન કરી પરત આવી રહ્યા હોય ત્યારે અમદાવાદ પાસે પોલીસ દ્વારા આ ગુના સબબ તેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે…