અમદાવાદમાં વિરોધ
ભાવનગરમાં પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધી રહ્યો છે. નીલંકઠ મંદિરની બહાર થયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. પાલીતાણામાં પણ 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જે બાદ આજે અમદાવાદમાં પણ વિરોધ થવાનો છે. શહેરનાં ઘી કાંટા ન્યુ ક્લોથ માર્કેટ સહિત અનેક વિસ્તારમાં જૈન દુકાનો બંધ રાખવામાં આવશે.
પાલીતાણામાં થયું હતુ મોટું વિરોધ પ્રદર્શન
આ અંગે 18મી ડિસેમ્બરે પાલીતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શેત્રુંજી પર્વત પર આવેલા નિલંકઠ મંદિરની બહાર થયેલી તોડફોડને કારણે જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. રાજ્યમાંથી જૈન સમાજના અગ્રણી અને આગેવાનો વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા. જે બાદ તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઇ હતી. ધર્મસભા પુરી થયા બાદ જૈન સમાજની વિશાળ રેલીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સાથે મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કોમી વૈમન્સય ફેલાવનાર તત્વો સામે પગલા ભરવા માગ કરી હતી.
જાણો શું છે આખો વિવાદ
ભાવનગરના સુપ્રસિદ્ધ પાલિતાણામાં આવેલા શેત્રુંજી મહાતીર્થ રક્ષા સમિતિના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે, પાલીતાણામાં ગીરીરાજ પર્વત ઉપર સદીઓથી જૈન દેરાસરો આવેલા છે અને સાથે નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે. થોડા દિવસ પહેલા આણંદથી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરવામાં આવ્યા છે. જેના કારણે હિન્દુ સંગઠનોમાં તથા જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈ જી અને એસપી સહિતના અધિકારીઓને વધુ તપાસ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર