વાંકલએક કલાક પહેલા
- કૉપી લિંક

- ચેકડેમમાં ભંગાણના કારણે અમૂલ્ય વરસાદી પાણીનો વેડફાટ થયો
ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામે તૂટી ગયેલા ચેકડેમ નું સમારકામ કરવા ખેડૂતોએ માંગ કરી છે રાજ્ય સરકારના વિવિધ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા સિંચાઈના પાણી થી વંચિત ઉંમરપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા નો લાભ મળે એવા હેતુથી લાખો રૂપિયાના ખર્ચે ચેક ડેમો નું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ ચેકડેમના કામોમાં સરકાર ના જવાબદાર વિભાગના અધિકારીઓ અને ચેકડેમનું કામ કરનાર એજન્સીઓ ના મેળાપીપણામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.
જેનો એક નમૂનો ઘણાવડ ગામનો ચેકડેમ છે આ ચેકડેમના નિર્માણમાં ગુણવત્તા યુક્ત કામ કરાયું નથી જ્યારે વિસ્તારમાં સામાન્ય આદિવાસી નાના ખેડૂતો નાની મોટી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જેને સરકારની ચેકડેમ યોજના નો લાભ ખરા અર્થમાં મળતો નથી ઘણાવડ ગામે ઉપરોક્ત ચેકડેમ નું નિર્માણ થયા બાદ થોડા જ સમયમાં ચેકડેમ માં મોટું ભંગાણ પડી ગયું છે જેથી આ કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું ફલિત થઈ રહ્યું છે
જેને કારણે પાણીનો કોઈપણ પ્રકારનો સંગ્રહ ચેકડેમ માં થતો નથી જેથી ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળતો નથી હાલમાં શિયાળુ ઉનાળુ કૃષિ પાકો માં સિંચાઈના પાણી ની જરૂરિયાત છે ત્યારે ખેડૂતોની માંગ અનુસાર ઉપરોક્ત ચેકડેમ નું સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ગુણવત્તા યુક્ત સમારકામ કરાવે તેવી માંગ આદિવાસી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે