વડોદરા35 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કુટીરમાં પણ અંધકાર હોવાથી મતદારો પરેશાન થયા
- ફરિયાદ કરવામાં આવતાં સાફ સફાઇ કરવામાં આવી
માંજલપુર વિધાનસભા બેઠક પર દંતેશ્વપ સરસ્વતી વિદ્યાલય બુથ નંબર 86માં મતદારોને શૌચાલયમાંથી પ્રવેશ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. માંજલપુર વિધાનસભાના બૂથનંબર-86 સરસ્વતી વિદ્યાલયમાં નરેન્દ્ર જસ્વાલ પોણા દસ વાગે મતદાન કરવા માટે ગયા ત્યારે તેમણે જોયું કે, શૌચાલયમાંથી પ્રવેશીને મતદાન કરવા જવુ પડતું હતુ અને ખુબ જ ગંદકી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે અંદર મતદાન કરવા ગયો ત્યારે મતદાન કુટીરમાં અંધારુ હતું. આ વિશે મે અધિકારીને ફરીયાદ કરી ત્યારે તેમણે બારી ખોલીને અજવાળું કર્યું. બાદમાં અડધો કલાક બાદ શૌચાલય પાણી નાખીને સાફ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…