બનાસકાંઠા જિલ્લામા મોટાભાગના ખેડૂતો ગાય આધારિત ખેતી કરી રહ્યા છે.પરંતુ ખેડૂતો પોતાની ખેત ઉપજ કઈ રીતે વેચી શકે ? અને સારા ભાવ મેળવી શકે ? જેને લઈને મુઝવણમાં હતાં.
ત્યારે વર્ષ 2019- 20 માં રાજ્યપાલે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંખ્યા વધારવા મુહિમ ઉપાડી હતી. પ્રચારથી સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વધી રહી છે. બાદ કેન્દ્ર સરકારે પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના જે F.P.O હોય તેમને સહાય આપવાની પણ વાત કરી છે.
પહેલા 12 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
બાદ બનાસકાંઠાના પાલનપુર અને ડીસા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ એક F.P.O બનાવાનું વિચાર્યું અને ડીસા અને પાલનપુર 12 થી વધુ ખેડૂતો સાથે મળી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
પરંતુ પોતાના ખેત પેદાસ વેચવા માટે FPO બનાવો તો ફાયદો થઈ શકે. જેથી તાલુકાના ખેડૂતોએ વર્ષ 2019 માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ એફપીઓ બનાવી અને ડી.પી.બનાસકાંઠા ઓર્ગનિક ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નામ આપવામાં આવ્યું.
એફ.પી.ઓ માં 302 ખેડૂતો જોડાયેલા
એફ.પી.ઓ માં 302 ખેડૂતો જોડાયેલા છે.તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે અને ખેડૂતોએ પોતાની ખેત ઉપેજ ડાયરેક્ટ એફ.પી.ઓ ને આપશે અને ડાયરેક્ટ ગ્રાહક પણ ખરીદી શકે છે. જેમાં ગ્રાહકોને ઊંચો ભાવના આપવો પડે અને ખેડૂતોને પણ સારો ફાયદો થઈ શકે.
તેમજ ખેડૂતો માટે એક ગ્રામ્ય હાર્ટ બનાવી આપવામાં આવ્યુ છે. જેથી ખેડૂતો પોતાના ખેત ઉપેજને વેચી શકે. તેમજ FPO દ્વારા ખેડૂતોનો માલમાંથી જે નફો થશે,તે ટકાવારી પ્રમાણે કંપનીનો જે નિયમ છે,તે પ્રમાણે ફરી તેમને ડિવિડન તરીકે તેમને મળશે. જેથી ખેડૂતોને પણ બે લાભ થશે.
ખેડૂતો સંગઠિત થશે તો આવક વધશે
ભીખાભાઈ ભૂટકાએ જણાવ્યું હતું કે,પાલનપુર અને ડીસા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કંપનીમાં જોડાયેલા છે. પરંતુ અન્ય ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે પણ જોડાય.જેથી ખેડૂતોને સારી આવક થશે. કંપની ખેડૂતોને બિયારણ આપશે.ઉત્પાદિત જથ્થો કંપની ખરીદી રીપ્રોસેસિંગ કરીને વેચશે અને જો ખેડૂતો સંગઠીત થશે.તો આવક પણ વધુ મેળવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Company, Farmer in Gujarat, Local 18, Owner