રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દાવો કરે છે કે આ કેમેરા લગાવવાથી ટોલ પ્લાઝા પર વાહનોની રાહ જોવાની અવધિમાં ઘટાડો થશે. હાલમાં દેશમાં લગભગ 97 ટકા ટોલ વસૂલાત FASTag દ્વારા કરવામાં આવે છે તેમ છતાં ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થઈ જાય છે.

ટોલ ટેક્સ વસૂલવાની રીત ફરી બદલાવા જઈ રહી છે
ભારત સરકારે ટોલ ટેક્સની પદ્ધતિ સરળ અને સમયની બચત કરનારી બનાવવા માટે ડિજિટલ સિસ્ટમ અમલમાં મૂકી છે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન – ETC સિસ્ટમ લાગુ કરાયા બાદ ઘણી સમ્યાઓ હલ થઇ છે. છૂટા પૈસાની લેવડ-દેવડ સહીત લાંબી કતારો હવે મોટેભાગે જોવા મળતી નથી. ટૂંક સમયમાં દેશમાં ટોલ ટેક્સ વસૂલવાની રીત ફરી બદલાવા જઈ રહી છે. હાલમાં FASTag નો ઉપયોગ સમગ્ર દેશમાં ટોલ વસૂલાત માટે કરવામાં આવી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકાર હવે હાઈવે પરના ટોલ પ્લાઝાને જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. હવે કેમેરા આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ વાહનોની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક ખાતામાંથી ટોલ કપાશે. આ કેમેરા ઓટોમેટિક નંબર પ્લેટ રીડર તરીકે ઓળખાશે.
ટોલ ટેક્સ સિસ્ટમ શા માટે બદલવામાં આવી રહી છે?
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દાવો કરે છે કે આ કેમેરા લગાવવાથી ટોલ પ્લાઝા પર વાહનોની રાહ જોવાની અવધિમાં ઘટાડો થશે. હાલમાં દેશમાં લગભગ 97 ટકા ટોલ વસૂલાત FASTag દ્વારા કરવામાં આવે છે તેમ છતાં ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થઈ જાય છે. ટૂંક સમયમાં ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ANPR કેવી રીતે કામ કરશે?
રોડ મિનિસ્ટ્રીનું કહેવું છે કે દેશભરના તમામ હાઈવે પરથી ટોલ પ્લાઝા હટાવવામાં આવશે. ટોલ પ્લાઝાની જગ્યાએ ANPR લગાવવામાં આવશે જે વાહનની નંબર પ્લેટ રીડ કરશે અને બેંક ખાતામાંથી ટોલ ટેક્સ કાપશે. હાઇવેના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર કેમેરા લગાવવામાં આવશે. સિસ્ટમ નંબર પ્લેટની તસવીર લઈને સરનામાનું અંતર શોધી કાઢશે અને તે મુજબ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.
પાઇલોટ પ્રોજેક્ટ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે સરકાર તેના પરીક્ષણ માટે પાઇલટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સિસ્ટમથી એ પણ ફાયદો થશે કે વાહનોના અંતરના આધારે ટોલ લેવામાં આવશે. ગડકરીના મતે, આ નવી ટેક્નોલોજી બે ફાયદા પ્રદાન કરી શકે છે – ટોલ બૂથ પર ટ્રાફિકની અવિરત હિલચાલ અને ઉપયોગ અનુસાર ચુકવણીનો સમાવેશ થાય છે.