પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

- બંધ 2 બ્લોકના તાળા તોડી કુલ રૂ. 1.95 લાખના સોનાના દાગીનાની ચોરી
- 3 બ્લોકમાં ચોરીનો પ્રયાસ : દરવાજાના નકુચા તોડી કરી ચોરી
ટાઈટ સિક્યુરિટી વચ્ચે ધરમપુર પાસે આવેલ કોસ્ટગાર્ડ ક્વાર્ટરોમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. 2 બંધ બ્લોકના તાળા તોડી કુલ રૂ. 1.95 લાખના સોનાના દાગીના ચોરી કરી લઈ ગયા હતા અને 3 બ્લોકમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની છે ત્યારે પોરબંદરના ધરમપુરના પાટિયા પાસે આવેલ કોસ્ટગાર્ડ રેસીડેન્શીયલ એરિયામાં કુલ 996 બ્લોક આવેલ છે અને અધિકારીઓ માટેના 78 બ્લોક આવેલ છે. અહી રહેતા અને કોસ્ટગાર્ડમાં મદદનીશ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સૂરજદેવ પરશુરામ પ્રસાદ નામના યુવાન ગત તા. 25 નવેમ્બરના રોજ પોતાના વતન યુપી ખાતે પરિવાર સાથે નીકળ્યા હતા.
તેમને જાણવા મળ્યું કે, પોરબંદરમાં જુદાજુદા ક્વાર્ટરમાં ચોરી થઈ છે જેથી તેઓ પોતાના પરિવાર સાથે પોરબંદર આવ્યા હતા અને દરવાજો ચેક કરતા નકુચો તૂટેલ હાલતમાં હતો અને માલ સામાન વેરવિખેર પડ્યો હતો. ચેક કરતા કુલ રૂ. 1.5 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળતા તેમણે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે વધુ તપાસ કરતા કેહરસિંહ નામના કોસ્ટગાર્ડ જવાનના ક્વાર્ટર માં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને કુલ રૂ. 90 હજારના સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ હતી. અન્ય કોસ્ટગાર્ડના જવાનો ના ક્વાર્ટર બંધ હતા તેઓના બ્લોક પણ ચેક કરતા કમાન્ડન્ટ રેડ્ડી નું ક્વાર્ટર, કમાન્ડન્ટ જીતેન્દ્રસિંહના બ્લોક ના પણ તાળા તૂટ્યા હતા પરંતુ ચોરી થયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું.
અને કમાન્ડન્ટ જીતેન્દ્ર સિંહના ક્વાર્ટરમાં પણ તાળું તૂટેલ છે પરંતુ હાલ તેઓ આવ્યા નથી જેથી તેઓના કવાર્ટરમાં ચોરી થઈ કે નહિ તે જાણવા મળેલ નથી. આ ચોરી અંગે સૂરજદેવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બૂમાબૂમ કરતા ચોર ચપ્પલ મૂકી નાસી ગયા : ચોર ટોળકીએ પથ્થરમારો કર્યો : મંદિરમાં પણ હાથ ફેરો

-આ કોસ્ટગાર્ડ એરિયામાં ચોરી થતાં અંદાજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં તસ્કરો ચોરી કરતા હતા ત્યારે લોકો જાગી જતા બૂમાબૂમ કરી હતી અને ચોરને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ચોર નાશી ગયા હતા.
-કોસ્ટગાર્ડના ક્વાર્ટરોમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા અને કર્મચારીઓ જાગી જતા બૂમાબૂમ કરી ચોર પાછડ દોડતા તસ્કરોએ પત્થરમારો કર્યો હોવાનું પણ ત્યાંના કર્મીઓએ જણાવ્યું હતું.
તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યું
તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે 56ના 11 બ્લોક માં મંદિરમાં રાખેલ રૂપિયા પણ ચોર ચોરી કરી લઈ ગયા હતા.
કમ્પાઉન્ડની દીવાલ સાવ નીચી
ધરપમુર ના પાટિયા પાસે આવેલ કોસ્ટગાર્ડ ક્વાર્ટરો ના બંધ બ્લોક પર તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો છે ત્યારે આ ક્વાર્ટર ફરતે આવેલ દીવાલ સાવ નીચી છે. જેથી અંહિથી અંદર પ્રવેશ કરવો સરસ બને છે.