ભાવનગર28 મિનિટ પહેલા
- કૉપી લિંક

શહેરના લીલાસર્કલ ભક્તિ વેદાન માર્ગ પર આવેલા હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરમાં ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 ભક્તોએ યજ્ઞમાં બેસીને ભગવત ગીતાના લોકો બોલીને આહુતિ આપી હતી.
ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા વિશેષ સંકલ્પ લીધો
ગીતા જયંતી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વાણી એટલે ભગવદ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોક બોલીને એક એક શ્લોકે જવ કાલા તલ અને ઘી દ્વારા આહુતી દેવામાં આવી હતી. સાથે શ્રીમદ્ ભગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા વિશેષ સંકલ્પ લીધો આ ગીતા જયંતી નિમિત્તે એક મહિનામાં 2000 ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવશે.

શાળાના બાળકોને શ્રીમદ ભાગવત ગીતા આપવામાં આવશે
આ યજ્ઞમાં વિશેષ મંદિરના પૂજારીઓ જેમાં ચતુર્ભુજ પ્રભુ જગ નિવાસ પ્રભુ નિકુંજ લીલા પ્રભુ રોહિણી નંદન પ્રભુ દ્વારા યજ્ઞમાં સારી સેવા કરીને યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યો હતો. ઇસ્કોન મંદિરના વરિષ્ઠ ભક્ત ઉપાનંદ વ્રજવાસી પ્રભુએ વિશેષ સંકલ્પ કર્યો હતો. ભાવનગરની શાળાઓમાં જઈને સ્કૂલોમાં જઈને આપણી આ સનાતન ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાને દેવામાં આવશે અને જે બાળકો શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતાને સાયકલ, ઘડિયાળ જેવા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

