મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 61 બેઠકો છે..જેમાંથી મતદારોએ 42થી 44 બેઠકો પર ભાજપ તરફી વલણ બતાવ્યું છે.જ્યારે કોંગ્રેસને ફાળે 14 થી 18 સીટો આવી શકે છે.અહીં પણ સરવે મુજબ આપનું કોઈ દમખમ જોવા નથી મળી રહ્યું. જ્યારે અપક્ષ કે અન્યને ફાળે 1થી 3 સીટ આવી શકે છે.

મધ્ય ગુજરાત એક્ઝિટ પોલનું પરિણામ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરનું મતદાન સમાપ્ત થયું છે. તેવા સમયે ટીવી નાઇનના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. જેમાં 125 -139 બેઠક મળવાનું અનુમાન છે. જેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 61 બેઠકો છે..જેમાંથી મતદારોએ 42થી 44 બેઠકો પર ભાજપ તરફી વલણ બતાવ્યું છે.જ્યારે કોંગ્રેસને ફાળે 14 થી 18 સીટો આવી શકે છે.અહીં પણ સરવે મુજબ આપનું કોઈ દમખમ જોવા નથી મળી રહ્યું. જ્યારે અપક્ષ કે અન્યને ફાળે 1થી 3 સીટ આવી શકે છે.
મધ્ય ગુજરાતમાં પણ મોદી ફેક્ટર ચાલી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે
જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાનો મધ્ય ગુજરાતમાં સમાવેશ થાય છે..અહીં છોટા ઉદેપુરમાં પીઢ કોંગ્રેસી મોહનસિંહ રાઠવાના પુત્રને ટીકિટ અપાતા, તો વડોદરામાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા હોબાળો થયો હતો પરંતુ ભાજપે તેને ઠારવામાં સફળતા મેળવી હતી. જોકે બળવો કરનારને ભાજપે સીધો સંદેશો પણ આપી દીધો છે કે તેમને જીત બાદ પણ પક્ષમાં સ્થાન નહીં મળે. આમ સરવે મુજબ મધ્ય ગુજરાતમાં પણ મોદી ફેક્ટર ચાલી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. વડાપ્રધાને કરેલી સભાઓની અસર પણ ક્યાંકને ક્યાંક દેખાતી નજરે પડી રહી છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પરનું મતદાન સમાપ્ત થયું છે. તેવા સમયે ટીવીનાઇનના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે. જેમાં 125 -139 બેઠક મળવાનું અનુમાન છે. આ ઉપરાંત આ પોલમાં સીએમ તરીકે કોણ પસંદ છે. તેમાં 68. 5 ટકા લોકોએ સીએમ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. જ્યારે પરેશ ધાનાણીને 16.2 અને ઇસુદાન ગઢવીને 15.4 ટકા લોકોએ પસંદ કર્યા છે.