IAS-IPSની બદલીઓ નહીં થાય
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આગામી બજેટ સત્ર પૂરું થયા પહેલાં આઇએએસ કે આઇપીએસ અધિકારીઓની બદલી નહીં કરી શકાય. બજેટ સત્ર પૂરું થયા પછી પણ તરત કોઈ બદલી થાય તેવી એંધાણ નથી. જરૂરિયાત અનુસાર બદલીઓ આવતી રહેશે. એકસાથે મોટો બદલાવ થાય તેવી શક્યતા નથી. જ્યાં સુધી સચિવાલયની વાત છે ત્યાં સુધી આગામી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં તમામ મંત્રીના પીએ-પીએસની નિમણૂક થાય તેવી શક્યતા છે.આ પણ વાંચોઃ સરપંચોએ દીપડાને ઠાર કરવા કે ખસીકરણ કરવાની માગ કરી
ચીફ સેક્રેટરી-ડીજીપીને એક્સ્ટેન્શન નહીં આપવામાં આવે?
આગામી 31મી જાન્યુઆરીએ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને ડીજીપી અશોક ભાટીયા બંનેને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તે પૂરું થઈ ગયું છે. ત્યારે સૂત્રાના જણાવ્યા પ્રમાણે બંનેમાંથી કોઈને પણ એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા નથી. એટલે જો હવે કેન્દ્રનું નેતૃત્વ ઇચ્છશે તો જ તેમને એક્ટેન્શન આપવામાં આવશે. તો બીજી તરફ, પંકજ કુમાર આગામી જી-20 સમિટને લઈને એક્ટેશન મેળવે શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhupendra Patel, CM Bhupendra Patel, Gujarat CM Bhupendra Patel, Gujarat IAS Transfer, IAS Transfer, IPS officers transfers, IPS officers transfers news