અમદાવાદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના વસ્ત્રાપુરમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ અન્ય મહિલા મિત્ર સાથે વસ્ત્રાપુરમાં રહેતો હોવાનું પત્નીને જાણ થઇ હતી. જેથી પત્ની તેના ઘરે પહોચી ગઇ અને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પતિએ પત્નીને ગાળો બોલી ચાર પાંચ લાફા મારી દીધા હતા. મારી મહિલા મિત્રનું નામ કેમ લીધું કહીને ઝઘડો કર્યો અને રિક્ષામાં બેસાડી માર માર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
અન્ય સ્ત્રી વિશે પૂછતા પતિએ ફોન કાપી નાખ્યો
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા સન રેસિડેન્સીમાં 37 વર્ષીય મહિલાએ વર્ષ 2013માં મુકેશભાઇ શાહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાન છે. ગત ગુરુવારે રાત્રીના 11 વાગ્યે આસપાસ પતિ પર પત્નીનો કોલ આવ્યો હતો. થોડા પૈસા લઇને આવજો ઘરમાં જરુર છે તે માટે કોલ કર્યો હતો. પૈસાનું શું કામ છે તેમ કહીને પતિ મુકેશ ઝઘડવા લાગ્યો હતો આ સમયે પતિ સિવાય અન્ય મહિલાનો અવાજ પત્નીને આવતો હતો. જેથી પત્નીએ તેમની સાથે પર સ્ત્રી કોણ છે તે અંગે પુછપરછ કરતા પતિએ ફોન કાપી નાખ્યો હતો.
પત્નીને પતિની ગર્લફ્રેન્ડે જણાવ્યું કે તે મારા ઘરે જ છે
મહિલાએ પતિના મહિલા મિત્ર ગીતાંજલી પર શંકા જતા તેને કોલ કર્યો હતો. તેણે જણાવ્યું કે, તોરો પતિ મારા વસ્ત્રાપુરના ઘરે જ છે તારાથી જે થાય તે કરી લે. જેથી પત્ની તેના ઘરે પહોચી ગઇ હતી. જ્યા કારમાં પતિ અને ગીતાંજલી બેઠા હતા. આ દરમિયાન પતિ સાથે ઝઘડો થતાં બંને વચ્ચે મારા મારી થઇ હતી. પત્નીને પતિ મુકેશે ચાર પાંચ લાફા મારી દીધા હતા. ગીતાંજલીએ પણ લાફો મારી દીધો હતો. પતિએ હાથ મરોડી રિક્ષામાં બેસાડી દીધી હતી અને રિક્ષામાં પણ માર માર્યો હતો. મહિલાને વધુ માર મારતા રિક્ષા ચાલકે તેને બચાવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં ગુનો નોધાયો હતો.