Sunday, December 25, 2022

અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં કારીગરો જ કારખાનાના માલિક સહિત ત્રણની હત્યા કરી ફરાર | In Amroli Anjani Industrial, only the artisans killed three including the owner of the factory and absconded.

સુરત3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી કારીગરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનાની જાણ થતા કારખાના માલિકના પરિવારજનો હોસ્પિટલ બહાર પહોંચી ગયા છે અને ઝડપી કાર્યવાહીની માગ કરી છે.

કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું કારખાનું આવેલું છે. જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી. કારખાનાના માલિક પર કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાના મોત થયા છે. ઘટના બાદ ત્રણેય ને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હત્યારા ફરાર, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર
સુરતમાં એક સાથે ત્રણ-ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારાયા છે. હત્યારાઓએ હત્યાને અંજામ આપીને જોતજોતામાં જ ફરાર થઈ ગયા છે. ત્યારે પરિવારજનોએ હત્યારાને ઝડપી પકડવા માગ કરી રહ્યા છે. એટલું જ નહીં, જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી આપી છે.

અમે આને સતત અપડેટ કરીએ છીએ….

અન્ય સમાચારો પણ છે…