ભુજએક કલાક પહેલા
- કૉપી લિંક
- રૂકમાવતી નદીના પુલ પરથી પડી જતા એકનું મોત
પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુની બે ઘટનાઓ સામે આવી છે.જેમાં માધાપર નજીક ભવાની હોટલની પાછળ રેલવે પાટામાં ટ્રેન નીચે પડતું મૂકી આધેડે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે માંડવીમાં રૂકમાવતી નદીના પુલ પરથી પડી જતા નખત્રાણાના આધેડનું મોત થયું હતું.
માધાપર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, જુનાવાસ આઇયાનગરમાં રહેતા મંછાબાએ જણાવ્યું હતું કે,તેમના પતિ 44 વર્ષીય શક્તિસિંહ બહાદુરસિંહ ઝાલાએ કોઈ અગમ્ય કારણોસર ભવાની હોટલની પાછળ આવેલા રેલવે ફાટકમાં ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ બપોરે 12 વાગ્યાના અરસામાં બન્યો હતો.પોલીસે એડી દાખલ કરીને મોતના કારણો જાણવા માટે પીએસઆઈ જે.ડી.સરવૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.
આ તરફ માંડવી પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી પ્રમાણે,નખત્રાણામાં પોલીસ લાઈન સામે કોલીવાસમાં રહેતા 45 વર્ષીય રમેશભાઈ ઈસ્માઈલ કોલી માંડવી મધ્યે તેમની બહેનના ઘરે ગયા હતા. બહેનના ઘરેથી નિકળી તેઓ પરત પોતાના ઘરે જવા માટે નિકળ્યા ત્યારે અચાનક ચક્કર આવી જતા રૂકમાવતી પુલ પરથી નીચે પટકાયા હતા.જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજયું હતું.