Friday, December 23, 2022

IPL 2023 માં ગુજરાત ટાઈટન્સે કેન વિલિયમસનને ખરીદ્યો, જાણો કેટલી કિમત મળી

Kane Williomson in Gujarat Titans: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આગામી એડિશન માટે 406 ખેલાડીઓ હરાજીમાં ઉતાર્યા છે. તેમાંથી સૌથી વધારે ખેલાડી ભારતના છે. આઈપીએલના 16માં એડિશન માટે ભારતથી કુલ 714 ખેલાડીએ પોતાના નામ રજિસ્ટર્ડ કર્યા હતા, જેમાંથી બીસીસીઆઈએ 273 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હરાજીમાં કુલ 87 ખેલાડી જ વેચાશે. આવું એટલા માટે કેમ કે આટલો જ સ્લોટ ખાલી છે. તો આવો જાણીએ ક્યા દેશના કેટલાય ખેલાડી હરાજીમાં પોતાનું નસીબ અજમાવતા દેખાશે.

આજે હરાજી શરૂ થતાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન માટે બોલી લાગવાની શરૂ થઈ હતી. વિલિયમસન માટે ગુજરાત ટાઈટન્સે બોલી લગાવી હતી. અને વિલિયમસનને આખરે ગુજરાતે જ 2 કરોડ બેઝ પ્રાઇઝમાં ખરીદી લીધો હતો.

Published by:Mayur Solanki

First published:

Tags: Auction, IPL 2023, Kane williamson


Related Posts: