સાબરકાંઠા (હિંમતનગર)7 મિનિટ પહેલા
ચાર એવોર્ડથી સન્માનિત થયેલા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલના નરેશ લીમ્બાચીયાની વિજયનગરના પોળોના મંદિરોને કલરોની વડે કળાથી કેનવાસ પર ઉતારનારને રાજ્ય કક્ષાના અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો નરેશ લીમ્બાચીયા સાથે રાજ્યના 86 કલાકરોને આઇડેન્ટિટી એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાંધીનગરમાં સેક્ટર 13 માં મહાત્મા મંદિર પાસે પ્રોફેસર ચુનીલાલ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.

અતુલ્ય વારસો આયોજિત એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ, લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્રા ડૉ જયેન્દ્રસિંહ જાદવ, હેરીટેજ પ્રવાસન સમિતિના સક્રિય સભ્ય પુંજાવાળા, પર્યાવરણવિદ મનીષ વૈધના હસ્તે રાજ્યના 86 કલાકારોને આઇડેન્ટિટી એવોર્ડ એનાયત કરાયા હતા.

સલાલમાં રહેતા 51 વર્ષીય નરેશ લિમ્બચીયા કે જે 30 વર્ષથી પેંઈન્ટીગનો વ્યવસાય કરે છે. તેમને 2016માં જિલ્લના વિજયનગરની પોલો ફોરેસ્ટ વિસ્તારની ઐતિહાસિક ધરોહરને બે વર્ષ સુધી કેનવાસ પર કંડારી હતી. તો 25 જેટલા ચિત્રોને આબેહુબ કેનવાસ પર કલરો વડે દોર્યા હતા અને ત્યારબાદ આ કેનવાસ પર ચીતરેલી ઐતિહાસિક ધરોહરના ચિત્રોનું પ્રદર્શન હિંમતનગરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને આદર્શ સ્કુલમાં ઉપરાંત ઇડરમાં યુનિક સ્કુલમાં યોજ્યું હતું.

ઘરે રહીને પેંઈન્ટીગના વ્યવસાય કરતા નરેશ લીમ્બચીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મને ચાર જેટલા એવોર્ડ મળ્યા છે. વધુ એક આઈડેન્ટીટી એવોર્ડ એવોર્ડ મળતા હું બહુ જ ખુશ છુ. તો એવોર્ડ સમારોહમાં રાજ્યના વિવિધ કલાકારો સાથે મળવાનું થયું અને એકબીજાના ચિત્રો વિષે જાણવા મળ્યું અને એવોર્ડ થકી એક સારી તક મળવાની આશા જન્મી છે. મને બહુ જ આનંદ થયો છે. એવોર્ડ મળતા જિલ્લા અને સમાજમાં ગૌરવમાં વધારો થયો છે. જેને લઈને નરેશભાઈના મિત્રો અને સમાજના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા.






