Monday, December 5, 2022

નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિ ગામે-ગામ જઈ વડીલોનું સન્માન કર્યુ; વયોવૃદ્ધને શાલ ઓઢાડી આશીર્વાદ લીધા | Narmada District Rajput Seva Samiti went from village to village and honored the elders; The old man was blessed with a shawl

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિ દ્વારા વયોવૃદ્ધ વડીલોનું સન્માન કરી રાજપૂત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના આશીર્વાદ લેવામાં આવે અને તેમના ઘરે જઈને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવે એમ સૌએ નક્કી કરી ગામે ગામ જઈને સન્માન કર્યું હતું. વડીલો ગૌરવ છે તેમના આશીર્વાદથી જ સામાજિક અને અન્ય તમામ પ્રવુતિ કરવાનું બળ મળે છે.

ગામે ગામ જઈને સન્માન કર્યું
નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિના પ્રમુખ તરીકે ગોપાલપુરાના જીતેન્દ્રસિંહ ગોહિલ અને મંત્રી તરીકે હરેન્દ્રસિંહ રાઉલજીની નિમણૂંક કરવામાં આવી તેમની આગેવાનીમાં રાજપૂત ગૌરવ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ભેગા મળીને રાજપીપળા, રામપુરા, ગોપાલપુરા, થરી, કરાંઠા, રસેલા સહીત જે ગામોમાં બહુ રાજપૂત સમાજની વસ્તી છે. આ ગામોના વડીલો કે જેમની ઉમર 90 વર્ષની આસપાસ છે. આવા વયોવૃદ્ધ વડીલોના આશીર્વાદ લેવામાં આવે અને તેમના ઘરે જઈને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવે એમ સૌએ નક્કી કરી ગામે ગામ જઈને સન્માન કર્યું હતું.

14 જેટલા વડીલોના આશીર્વાદ મેળવ્યા
આ બાબતે નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિના પ્રમુખ જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજપૂત ગૌરવ દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે અમે સૌ સભ્યો, હોદેદ્દારો તેમજ સમાજના યુવાનો દ્વારા સમાજના ગામના વડીલ કે જેઓની ઉમંર 90 વર્ષની આસપાસ કે ઉપરના વડીલોનું સાલ ઓઢાડી ગામના તમામ સભ્યો સમક્ષ સન્માન કરી તેઓના આશીર્વાદ લીધેલા છે. અમારા વડીલો જ અમારું ગૌરવ છે. તેમના આશીર્વાદથી અમને સામાજિક અને અન્ય તમામ પ્રવુતિ કરવાનું બળ મળે છે. અમે હાલ તો 14 જેટલા વડીલોના આશીર્વાદ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…