જૂનાગઢએક કલાક પહેલા
- કૉપી લિંક

- માટીમાં રહેલા કુદરતી કાર્બનને બચાવવા અને લાભકારી જીવસૃષ્ટિને બચાવવા આહ્વાન કરાયું
જેનાથી જીવસૃષ્ટ્રિ જળવાયેલી રહે છે તેવી માટી એટલે કે આપણે જેને ધૂળ કહીએ છીએ તેનું મહત્વ કેતુ છે અને તેનું જતન કરવાથી જીવસૃષ્ટ્રિ બચી શકશે. તેવું સમજાય ગયા પછી સમગ્ર વિશ્વમાં તા 5મી ડિસેમ્બરના દિવસને વિશ્વ ” માટી ” દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વિશ્વ માટી દિવસ નિમિતે પ્રાકૃતિક ખેતી કરી ઝેર મુક્ત જિંદગી માટે સતત મથતા ખેડૂતોએ જામકા ગીર ખાતે માટીનું પૂજન કરીને પ્રકૃતિને બચાવવી હોય તો માટીનું જતન કરવાનો સંદેશો આપ્યો હતો.
સદીઓ પહેલા ભારતની ભૂમિ સોનાની કહેવાતી હતી. કારણ હતી અહીંની માટી દેશમાં રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ વધ્યા પછી માટીની સ્થિતિ બદલાઈ ગઈ છે. પરંતુ આજે પણ જંગલની જમીન ઉપર આ છાણ નાખવામાં આવે તો માટી બની જાય એ કુદરતી કાર્બન અને માટીની અંદર રહેલી જીવ સૃષ્ટ્રિના જીવંત હોવાનો પુરાવાઓ છે. પરંતુ ખેતીની જમીન બંજર બની રહી છે. તેનું કારણ રાસાયણિક ખતરો અને દવાઓનો ઉપયોગ છે.
વિશ્વ માટી દિવસની ઉજવણી કરતા ખેડૂતોએ આજે જામકાની ભૂમિ ઉપર ખેતીની જમીનમાં રહેલી માટીનું પૂજન કરીને ” માટી ” ને કુદરતી રીતે સાચવવાના સોગંધ લીધા હતા. પ્રાકૃતિક ખેતીમાં જેણે 2 દાયકાઓ વિતાવ્યા છે અને જેના ખેતરની વિશ્વના 10 દેશના લોકોએ મુલાકાત લીધી છે. તેવા જામકા ગીરના પરસોતમભાઇ સીદપરાના ખેતરમાં આજે શાસ્ત્રોક્ત રીતે માટીનું પૂજન કરવામાં આવ્યું હતું. એ પહેલા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો માટી માં કુદરતી રીતે કેવી જીવ સૃષ્ટ્રિ જોવા મળે છે. તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
હાલની સ્થિતિમાં ખેડૂતો રાસાયણિક ખતરો અને દવાઓનો બેફામ ઉપયોગ કરીને માત્ર માનવ જિંદગીને નહીં. પ્રકૃતિને જ ખતમ કરી રહયા છે. એવા સંજોગોમાં ગાય આધારિત ખેતી અને તેના દ્વારા થતું માટીનું જતન એક ઉદાહરણ છે. જે જૂનાગઢ જિલ્લામાં 250 થી વધુઓ ખેડૂતો કરી રહયા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢમાં ચૂંટણી પહેલાની સભામાં જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો એ જ બતાવે છે કે સોરઠનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને માટીનું જતન કરી રહ્યો છે.