Saturday, December 3, 2022

શાહપુરમાં કાળા વાવટા સાથે ઓવેસી વિરોધ, ઓવૈસી ગો બેકના નારા પોકારતા ત્યાંથી ચાલતી પકડી | Owaisi protest with black belt in Shahpur, Owaisi caught walking from there shouting slogans of Go Back

અમદાવાદ13 મિનિટ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયા બાદ હવે બીજા ચરણના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બીજા ચરણને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેને લઇને મુસ્લિમ વોટ બેંક માટે આજે અમદાવાદમાં ઓવૈસી અને જમાલપુર-ખાડીયાના ઉમેદવાર સાબીર કાબલીવાલા અલગ અલગ વિસ્તારમાં પગપાળા પ્રચાર માટે નીકળ્યા હતા. પરંતુ શાહપુર મિલ કમ્પાઉન્ડમાં મુસ્લિમ વોટર્સ દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓવૈસી “GO BACK”ના નારા લાગ્યા લોકોએ કાળા વાવટા દેખાડ્યા હતા આ સાથે ઓવૈસી GO BACKના બોર્ડ લાગ્યા હતા. જોક, આ અગાઉ પણ ગોધરામાં ઓવૈસીની પાર્ટી AIMIMનો આ પ્રકારે જ વિરોધ કરવામાં આવ્યો હતો.

શાહપુરમાં કાળા વાવટા બતાવી ઓવૈસીનો વિરોધ
અમદાવાદ શહેરમાં અસદુદ્દીન ઓવૈસી અને જમાલપુર ખાડીયાના ઉમેદવાર સાબીર કાબલીવાલા અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા પગપાળા નીકળી રહ્યા હતા. તે દરમિયાન શાહપુર મિલ કમ્પાઉન્ડમાં સ્થાનિકો લોકો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓવૈસી “GO BACK”ના નારા લાગ્યા લોકોએ કાળા વાવટા દેખાડ્યા હતા આ સાથે ઓવૈસી GO BACKના બોર્ડ લાગ્યા હતા. ત્યારે લોકો દ્વારા ઔવસી “GO BACK”ના નારા પોકારતા તેઓએ ત્યાંથી ચાલતી પકડી હતી. તો બીજી તરફ હાલ છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે દરેક પક્ષ કોઈપણ ઘર્ષણમાં ઉતરવાની જગ્યાએ પોતાનો પ્રચારને આગળ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે, થોડા સમય પહેલાં AIMIM પાર્ટીના બાપુનગરનો ઉમેદવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. ત્યારથી AIMIMમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળતો હતો અને આજે જમાલપુર-ખાડિયા વિધાનસભામાં સાબીર કાબલીવાલા જ્યારે પ્રચારમાં નીકળ્યા ત્યારે તેમને પણ કેટલીક જગ્યાએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

AIMIM પાર્ટી દ્વારા 14 ઉમેદવારો સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. કારણ કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે રસાકસીનો જંગ જામવાનો છે. એવામાં આ વખતની ચૂંટણીમાં ઓવૈસીની AIMIM પાર્ટી દ્વારા 14 ઉમેદવારો સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં માંડવી બેઠક પર એડવોકેટ મહમદ ઇકબાલ માંજાળીયા, ભૂજ બેઠક પર સકીલ મહમદ, સૂરત પૂર્વ બેઠક પર વસીમ ઇકબાલ ખોકર, ખંભાળિયા બેઠક પર બુખારી યાકુબ મોહમ્મદ, માંગરોળ બેઠક પર સુલેમાન પટેલ, લિંબાયત બેઠક પર અબ્દુલ બશીર શેખ, ગોધરા બેઠક પર હસન શબ્બીર કાચબા, વેજલપુર બેઠક પર ઝૈનબ શેખ, દરિયાપુર બેઠક પર હસનખાન સમશેરખાન પઠાણ, જમાલપુર-ખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પર કૌશિકાબહેન પરમાર, વડગામ (SC) બેઠક પર કલ્પેશ સુંધીયા અને સિધ્ધપુર બેઠક પર અબ્બાસ મોહમ્મદશરીફ નોડસોલાને ટિકિટ આપી છે.

મુસ્લિમ વોટર્સમાં AIMIM સામે નારજગી
જોકે, પહેલીવાર પૂરી તૈયારીઓ સાથે AIMIMએ વિધાનસભા ચૂંટણીમાં 14 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં બે હિન્દુ અને 12 મુસ્લિમને ટિકિટ આપી છે. આ 14 બેઠકમાંથી હાલ કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 6 સીટ છે. AIMIMની એન્ટ્રીથી આ તમામ સીટોનાં સમીકરણો પલટાઈ શકે છે. પરંતુ ગોધરા બાદ અમદાવાદમાં પણ મુસ્લિમ વોટરમાં ઓવૈસીની પાર્ટી AIMIM સામે નારજગી જોવા મળી રહી છે. આ પાછળનું કારણ એવું છે કે, ગત વર્ષે યોજાયેલી ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં AIMIMએ સાત બેઠકો જીતી હતી અને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અપક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. ઓવૈસીની પાર્ટીના સમર્થનથી અપક્ષ સંજય સોની ફેબ્રુઆરી 2021માં નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા, પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં ભાજપનું સમર્થન મળતાં તેમણે AIMIM છોડી દીધું હતું.

AIMIM માત્ર મતોનું વિભાજન કરવા ચૂંટણી લડી રહી છે
ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ મુસ્લિમ વોટર્સમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, AIMIM માત્ર મતોનું વિભાજન કરવા ચૂંટણી લડી રહી છે, જેનો સીધો ફાયદો આખરે ભાજપને થશે. જેને લઇને મુસ્લિમ મતદારો દ્વારા અમદાવાદના શાહપુર મિલ કમ્પાઉન્ડમાં કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓવૈસી “GO BACK”ના નારા લાગ્યા લોકોએ કાળા વાવટા દેખાડ્યા હતા આ સાથે ઓવૈસી GO BACKના બોર્ડ લાગ્યા હતા. જોક, આ અગાઉ પણ ગોધરામાં ઓવૈસીની પાર્ટી AIMIMનો આ પ્રકારે જ વિરોધ કરવામાં આવ્યો હતો.

ઓવૈસી ફેક્ટરથી કોંગ્રેસ કેમ ચિંતામાં?
ગુજરાતના ચૂંટણીકારણમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMની હાજરી માત્રથી કોંગ્રેસના પેટમાં ફફડાટના ગૂંચળાં વળતાં હોય તો નવાઈ નથી, કારણ કે મુસ્લિમ મતદારો માટે અત્યારસુધી કોંગ્રેસ સિવાય કશી આશા હોતી નથી અને કોંગ્રેસનું કમજોર નેતૃત્વ સત્તા મેળવવામાં તો નિષ્ફળ રહે જ છે, અસરકારક વિપક્ષ પણ સાબિત થઈ શકતું નથી. એ સંજોગોમાં ફાયરબ્રાન્ડ અને વિવાદાસ્પદ વિધાનો કરીને આક્રમક રૂખ અપનાવવા માટે જાણીતા ઓવૈસીની ગુજરાતમાં હાજરી કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્કમાં મોટી ફાચર મારી શકે છે. ઓવૈસીએ ગુજરાતમાં છોટુભાઈ વસાવાની BTP સાથે ચૂંટણી જોડાણ કર્યું એ પણ વ્યૂહાત્મક રીતે ભાજપ કરતાંય વધુ તો કોંગ્રેસ માટે નુકસાનકારક મનાય છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: