Friday, December 23, 2022

લુણાવાડાના PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર મર્યાદિત માત્રામાં ખાતર ઉપલબ્ધ હોવાથી કેટલાક ખેડૂતો વીલા મોઢે પરત ફર્યા | Few farmers returned to Vela Modha as fertilizer was available in limited quantity at PM Kisan Samriddhi Kendra in Lunawada.

મહિસાગર (લુણાવાડા)20 મિનિટ પહેલા

રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ખાતરની માત્ર ઓછી હોવાથી ખેડૂતો ખાતર ખરીદી કેન્દ્રો પર લાંબી લાઈનો લગાવી ઉભેલા જોવા મળી રહ્યાં છે. તેવામાં મહીસાગર જિલ્લામાં પણ ખાતર ખરીદી કરવા માટે PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. ત્યારે ખાતરની માત્ર ઓછી હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે ખાતર વિતરણ કરવામાં આવે છે. ત્યારે કલાકો સુધી લાઈમાં ઉભા રહીને ખેડૂતો ખાતર ખરીદે છે. તો પુરતી માત્રામાં ખાતર ન મળતા કેટલાક ખેડૂતોને વીલા મોઢે જ પરત ફરવું પડે છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર માટે લાંબી લાઈનો લાગી હતી. જોકે આ દરમિયાન ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતો નારાજ થઈ ગયા છે. રવિ પાક માટે ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા હતા. પરંતુ અહીં તેમને પુરવઠો ન મળતા મુશ્કેલીમાં મુકાયા હતા.

ચાલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
યુરિયા ખાતરની ગાડી આવી, પરંતુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર યુરિયા ખાતર માટે વહેલી સવારથી જ ગાડી આવી ગઈ હતી. જેથી ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પરંતુ ગાડીમાં રહેલું ખાતર પૂરૂ થઈ જતા જોવા જેવી થઈ હતી. ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબી લાઈનો પણ પુરવઠો પૂરો રવિ પાક માટે ખેડૂતોને ખાતર ન મળતા નારાજગી પ્રસરી જવા પામી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં યુરીયા ખાતર લેવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. ખાતરની ગાડી આવવાની સાથે જ ગાડીમાં રહેલા ખાતર પૂરૂ થઈ ગયું. અને અમુકને જ ખાતર મળ્યું અને અમુકને ખાતર લીધા વગર જ પરત ફરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: