Wednesday, December 28, 2022

PM મોદીPM Modi mother Hiraba HEalth Update Religious Devi shakti bhakti Sb – News18 Gujarati

અમદાવાદ: હીરાબાની તબિયત નાદૂરસ્ત જોવા મળી રહી છે. ત્યારે તેઓને યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના 100માં જન્મદિવસ પર વડાપ્રધાન મોદી દ્વારા તેમના માતા પ્રત્યેના અનુભવો લોકો સામે જણાવવામાં આવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, હીરાબા દેવી શક્તિમાં માનતા હતા પરંતુ, અંધશ્રદ્ધામાં નહીં.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેઓ ઘણી વાર મને કહે છે કે, મને કશું ન થઈ શકે, કારણ કે મારા પર જનતા જનાર્દન અને સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદ છે. તેઓ મને યાદ અપાવે છે કે, જો હું લોકોની સતત સેવા કરવા ઇચ્છું છું, તો સ્વસ્થ જીવનશૈલી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે.

આ પણ વાંચો: માતા હીરાબા સાથેની પીએમ મોદીની 11 તસવીરો, જે તમને ભાવુક કરી દેશે

PM મોદી કહે છે કે, મારી માતાને દૈવી શક્તિમાં અપાર વિશ્વાસ છે, પણ સાથે સાથે તેઓ અંધશ્રદ્ધાથી દૂર છે અને અમારી અંદર પણ એ જ ગુણો કેળવ્યાં છે. તેઓ પરંપરાગત રીતે કબીરપંથી છે અને તેમની રોજિંદી પૂજાપ્રાર્થનામાં એ પરંપરાઓને અનુસરે છે. તેઓ તેમની મણકાની માળા સાથે જપ કરવામાં ઘણો સમય પસાર કરે છે. પોતાની રોજિંદી પૂજાપ્રાર્થના અને જપ સાથે તેઓ ઘણી વાર સૂવાનું પણ ભૂલી જાય છે. કેટલીક વાર મારા પરિવારના સભ્યો માળા સંતાડી દે છે, જેથી તેઓ સૂઈ જાય.

માતા હીરાબાના ધાર્મિક નિયમોને લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ અગાઉ માતા ચાતુર્માસના નિયમોનું કડક રીતે પાલન કરતાં હતાં. તેઓ નવરાત્રિ દરમિયાન મારાં પોતાના નિયમો સારી રીતે જાણે છે. હવે તેમણે મને કહેવાનું શરૂ કર્યું છે કે, મારે આ નિયમોમાં થોડી છૂટછાટ લેવી જોઈએ, કારણ કે હું આ નિયમોનું પાલન લાંબા સમયથી કરું છું.

આ પણ વાંચો:  ભૈ! તુ આખી સૃષ્ટિનો રાજા બનીશ! નરેન્દ્ર મોદી PM નહોતા ત્યારે હીરાબાએ કહી દીધેલુ

મને તેમની તીવ્ર સ્મરણશક્તિનો અન્ય એક પ્રસંગ યાદ આવે છે. વર્ષ 2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે કાશીમાં પ્રચાર કર્યા પછી હું અમદાવાદ ગયો હતો. હું તેમના માટે પ્રસાદ લઈ ગયો હતો. જ્યારે હું મારી માતાને મળ્યો હતો, ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે, મેં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા કે નહીં. હજુ પણ માતા પૂરાં નામનો ઉચ્ચાર કરે છે – કાશી વિશ્વનાથ મહાદેવ. પછી વાતચીત દરમિયાન તેમણે મને પૂછ્યું હતું કે, કાશી વિશ્વનાથ મહાદેવ તરફ લઈ જતી શેરીઓ હજુ એવી જ છે, અગાઉની જેમ કોઈના ઘરની અંદર જ મંદિર છે. હું ચોંકી ગયો હતો અને મેં તેમને પૂછ્યું હતું કે, તેમણે ક્યારેય મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે વર્ષો અગાઉ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા હોવાનું યાદ કર્યું હતું, પણ તેમને બધું યાદ હતું.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Hiraba, Mother heera Baa, PM Modi પીએમ મોદી

Related Posts: