Monday, December 12, 2022

ગાંધીનગરમાં PM મોદી, શાહની ઉપસ્થિતિ; જૂના મંત્રીમંડળમાંથી અડધોઅડધ રિપીટ, અડધાને પડતા મુકાયા | swearing in ceremony of Bhupendra Patel as CM of Gujarat today, Acharya Devvrat will administer oath to Bhupendra Patel, cabinet will also take oath

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Swearing In Ceremony Of Bhupendra Patel As CM Of Gujarat Today, Acharya Devvrat Will Administer Oath To Bhupendra Patel, Cabinet Will Also Take Oath

19 મિનિટ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયા છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

પૂર્વસંધ્યાએ વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતમાં
એક દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી ગયા હતા. એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ગયા ત્યારે લોકો તેમને જોવા રોડની બંને સાઈડ ઉમટ્યા હતા. અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા હતા. તેમણે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. વડાપ્રધાનના આગમન પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

મંત્રીપદ માટે આ લોકોને ટેલિફોનિક જાણ કરાઈ
શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાઓને સ્થાન મળશે.

મંત્રીના લોબિંગ માટે ધારાસભ્યો પાટીલને મળ્યા
નવા મંત્રીમંડળની રચના થાય તે પહેલા વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને મળવા તેમના ગાંધીનગરમાં આવેલા બંગલે મળવા પહોંચ્યા હતા. તે પછી અન્ય ઘણાં ધારાસભ્યો પોતાના લોબિંગ માટે આવ્યા હતા. આ ધારાસભ્યોએ માત્ર ઔપચારિકતા માટે જ આવ્યા હોવાનું રટણ લગાવ્યું હતું. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણાંએ પોતાને મંત્રી બનવું છે, તેવી ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી, પરંતુ પાટીલે આ નિર્ણય માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે તેમ કહી તેમને રવાના કર્યા હતા.

અંશતઃ નો રિપીટ થિયરીથી મંત્રી બનાવાશે
ગુજરાતમાં ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં કોણ હશે તેને લઇને ઉત્તેજના વ્યાપી છે. ગઇ વખતે તેમની સરકારના તમામ મંત્રીઓ નવા ચહેરા જેવા હતા અને રૂપાણી સરકારના તમામ મંત્રીઓને રૂખસદ અપાઇ હતી. આ વખતે અગાઉની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રહેલા તમામ મંત્રીઓ તો નહીં પણ ઘણાં ચહેરાંઓને રૂખસદ અપાઇ શકે છે. ભાજપના સૂત્રો કહે છે કે નવી સરકારમાં સમૂળગી નો રિપીટ થિયરી અપનાવવાને બદલે અંશતઃ રીતે અપનાવાઇ શકે છે, એટલે કે અમુક જૂના ચહેરાંને બાદ કરતાં નવા ચહેરાંઓને સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે પાર્ટીમાં ઉત્તરોત્તર નવા સુધારાઓ થતાં રહેશે. એક સિનિયર નેતા જણાવે છે કે ગઇ વિધાનસભામાં વિપક્ષમાં કોંગ્રેસના 60થી વધુ ધારાસભ્યો હતા, તેમ છતાં સાવ નવી સરકાર તે સુપેરે ચાલી. હવે તો વિપક્ષના બધાં મળીને 26 ધારાસભ્યો માંડ છે, તો વિધાનસભા ગૃહમાં કે બહાર સરકારના વિરોધની શક્યતા ઘટી છે.

વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર કે તુષાર ચૌધરીને તક મળશે
માત્ર 17 બેઠકો મેળવ્યા બાદ હવે કોંગ્રેસમાં વિપક્ષના નેતાનું પદ કોને આપવું તે મુદ્દે કોકડું ગૂંચવાયું છે. પાર્ટીના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવા માટે ઇન્કાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે તેમના વિકલ્પ સ્વરૂપે અન્ય સિનિયર ધારાસભ્ય અને ગઇ ટર્મમાં વિપક્ષના ઉપનેતા રહેલા શૈલેષ પરમાર, ડો. તુષાર ચૌધરી અથવા જિજ્ઞેશ મેવાણીના નામ અંગે વિચારણા કરવામાં આવી શકે છે. આ સિવાય અમિત ચાવડાને પણ તક અપાઇ શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર નબળી સંખ્યામાં રહેલા વિપક્ષના નેતા તરીકે કોઇ સિનિયર અને મજબૂત દલીલ કરી શકે તેવા સભ્યને મૂકવા જરૂરી છે. તે કિસ્સામાં મોઢવાડિયાના વિકલ્પ તરીકે પરમાર, ચૌધરી કે મેવાણી જ યોગ્ય છે. તે સિવાય ઉપનેતા અને દંડક જેવા પદો પણ છે જેમાં પાર્ટી કોઇ સિનિયરને તક આપી શકે છે. ચર્ચા મુજબ, અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદને ધ્યાને રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: