Tuesday, December 27, 2022

Pramukh Swami did nationwide activities for the education, health and rites of the tribals.AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: આદિવાસી ગૌરવ દિનના ઉપક્રમે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં એક વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના અનેકવિધ ધાર્મિક, ઓદ્યોગિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને જાહેર જીવનના અનેક પ્રતિનિધિઓની સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.

આદિવાસીઓનાં જીવન ઉદ્ધારની પ્રવૃત્તિ ચાલે તે માટે સંતો અને મંદિરોની ભેટ આપી

પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને અધ્યાત્મબળથી આદિવાસી બંધુઓના ઉત્કર્ષ માટે રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં અવિસ્મરણીય યોગદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજ એક વિરલ સંત હતા. આદિવાસી ભાઈઓમાં પરમાત્માનાં દર્શન કરતાં પ્રમુખસ્વામી મહારાજ તેઓને સ્વજન માનતા. આદિવાસીઓનાં જીવન ઉદ્ધારની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે સંતો અને મંદિરોની ભેટ આપી.

આદિવાસી છાત્રાલય, શાળા પરિસરો અને ફરતાં દવાખાનાઓ દ્વારા તેમની કરુણા સદા આ વનવાસી ભાઈઓ તરફ વહેતી રહી. આદિવાસી ઉત્કર્ષ કાજે સન 1977 માં સાબરકાંઠામાં પ્રમુખસ્વામી મહારાજે 45 ડિગ્રી ગરમીમાં 91 ગામોમાં અને સન 1979 માં 21 દિવસમાં પંચમહાલ અને ભરૂચ જિલ્લાના 95 ગામોમાં અભૂતપૂર્વ વિચરણ કર્યું હતું.

આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને તેમનાં જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ કર્યા

અંતરિયાળ ગામોમાં કષ્ટો વેઠીને વિચરતા પ્રમુખસ્વામી મહારાજે ગરીબી, વહેમ, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વ્યસનોમાં ડૂબેલા અને અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા આદિવાસીઓના ઝૂંપડે ઝૂંપડે જઈને તેમનાં જીવન પવિત્ર સંસ્કારોથી સમૃદ્ધ કર્યા.

સંધ્યા કાર્યક્રમ :

ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હિંમતનગર સંગીત વૃંદ દ્વારા કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ પ્રમુખ ચરિતમ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના આદિવાસી ઉત્કર્ષના ભગીરથ કાર્યને વર્ણવ્યું હતું. ટીંબલી આદિવાસી નૃત્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં વંદના કરવામાં આવી હતી.

BAPS ના વિદ્વાન સંત જ્ઞાનનયન સ્વામીએ વનવાસીઓના વનમાળી પ્રમુખસ્વામી મહારાજ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે વનવાસીઓ પર કરેલી સ્નેહવર્ષાને વર્ણવી હતી. ત્યારબાદ આદિવાસીઓના ઉદ્ધારક પ્રમુખસ્વામી મહારાજ વિડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલ કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો

NAR ના પ્રમુખ સમીર અરોરા એ જણાવ્યું કે જેવી રીતે સમુદ્રની આગળ માનવને પોતાની અલ્પતાનું જ્ઞાન થાય છે. તેમ મેં ભલે રિયલ્ટર્સની અનેક પરિષદોમાં ભાગ લીધો છે. પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતાને નિહાળ્યા પછી મને અલ્પતાની પ્રતીતિ થાય છે. જેવી રીતે BAPS સંસ્થા સ્વયંસેવી સંસ્થા છે. તેવી જ રીતે NAR સંસ્થા પણ સ્વયંસેવાની ભાવનાથી પ્રેરિત છે.

એક શિક્ષક તરીકે હું 100 માંથી 400 માર્કસ આપું

ડૉ. રાધાકૃષ્ણન પિલ્લાઈ એ જણાવ્યું કે હું જ્યારે MBA કરી રહ્યો હતો. ત્યારે 1995 માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવના ઉત્સવમાં મને BAPS સંસ્થાનો સર્વપ્રથમ પરિચય થયો. આજે 100 વર્ષની ઉજવણીમાં તેથી પણ વધુ ભવ્યતા છે. દયા, પવિત્રતા અને દિવ્યતા આ સ્થાનમાં વ્યાપી રહી છે. જેને બાહ્યર્દષ્ટિથી સમજી શકાય તેમ નથી.

એક શિક્ષક તરીકે હું 100 માંથી 400 માર્કસ આપું. ફક્ત મારી વાત સાંભળીને નહીં પરંતુ અહી આવીને અનુભવ કરવા જેવો છે. ઇમારત હોય કે મંદિર. શ્રેષ્ઠ ગુણવત્તાનું હોવું જોઈએ. એવી ઇમારત બાંધો કે 2000 વર્ષ પછી પણ લોકો યાદ કરે. આપણે કેવી રીતે વિચારવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ શરીરને આપણે છોડીએ એ પહેલાં ભારતને મહાન બનાવવો તે આપણી જવાબદારી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Related Posts: