આ હસ્તમુદ્રાઓ તેમની જીવનભાવનાના પ્રતીક સમાન છે. આ હસ્ત મુદ્રાઓમાં પત્ર વ્યવહારની એક મુદ્રા મૂકવામાં આવી છે. જે પ્રમુખસ્વામી મહારાજે લખેલા 7,50,000 પત્રોનું પ્રતીક છે. કારણકે તેઓ પત્રલેખનને સેવા અને ભક્તિ માનતા હતા.
પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થ પાછળનું કારણ વનવાસીબંધુ લોકો સુખી બને અને નશામુક્ત જીવન જીવે
BAPS ના જ્ઞાનનયન સ્વામી એ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં વનવાસીઓના વનમાળી હતા. કારણકે પ્રમુખસ્વામી મહારાજે તેમને અઢળક પ્રેમ અને હૂંફ આપી હતી. આજે ખાલી બોડેલીમાં 30,000 આદિવાસી બંધુઓ ઉચ્ચ સંસ્કારયુક્ત જીવન જીવી રહ્યા છે. તે પ્રમુખસ્વામી મહારાજના અથાગ પુરુષાર્થ અને વાત્સલ્યનું પ્રતીક છે.
પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થ પાછળનું મુખ્ય કારણ એટલું જ હતું કે વનવાસીબંધુ લોકો સુખી બને અને નશામુક્ત જીવન જીવે. વનવાસીબંધુઓના કલ્યાણ માટે પ્રમુખસ્વામી મહારાજ ખુદ તેઓની વચ્ચે રહ્યા અને એક એક ઝૂંપડીઓમાં પધરામણી કરી છે. તેમના શુભ સંકલ્પોની પૂર્તિ કરી છે. અનેક વનવાસીબંધુઓને વ્યસનનો ત્યાગ કરાવીને તેમને ગરીબી દૂર કરાવી છે. સંસ્કારી જીવન જીવવાની પ્રેરણા આપી છે.
વનવાસીબંધુઓનું અસ્તિત્વ ભગવાન શ્રી રામના સમયથી છે
વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ રામચંદ્ર ખરાડીએ જણાવ્યું કે આજે અત્યંત આનંદ અને ખુશીની વાત છે. કારણકે સંતો-મહંતોનું સાનિધ્ય એ સાક્ષાત ભગવાનનું સાનિધ્ય હોય છે અને મને આજે એ પ્રાપ્ત થયું છે. વનવાસીબંધુઓનું અસ્તિત્વ ભગવાન શ્રી રામના સમયથી છે. શબરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. કારણકે તેમની ભક્તિ અને શક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામ તેમની ઝૂંપડીએ પધાર્યા હતા.
વનવાસી સમાજે વિદેશી તાકાતો સામે હંમેશા હિંમતપૂર્વક લડાઈ કરી છે અને સમાજનું રક્ષણ કર્યું છે.પૂર્વ વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર વાનપ્રસ્થાશ્રમમાં સૌ માણસો નિવૃત્ત થઈને વનવાસી બંધુઓ વચ્ચે રહેવા જતા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે ગૌમાતા વગર ભારત વર્ષનું જીવન શક્ય નથી અને આજે વનવાસી સમાજ ગૌમાતાનું પૂજન અને શણગાર કરે છે. વારસાનું સંવર્ધન કરે છે.
ભગવાન શ્રી રામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા
નેશનલ કમિશન ઓફ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા વનવાસી સમાજ માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કારણકે બ્રિટિશ શાસનના સમયથી અમારા સમાજની સતત ઉપેક્ષા કરવામાં આવી છે. ભગવાન શ્રી રામ વનવાસી સમાજની સાથે જઈને અધર્મ સામે લડ્યા હતા.
વનવાસી સમાજ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે પ્રમુખસ્વામી મહારાજે સાચા અર્થમાં શીખવ્યું છે. કારણકે પ્રમુખસ્વામી મહારાજે અમારા સમાજને ખૂબ જ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું. જો આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા પથ પર ચાલીશું તો આપણો દેશ વિકસિત દેશ બનશે. કારણકે 12 કરોડ વનવાસીઓ આ દેશના નાગરિક છે. તેમનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav