Precautionary measures to be taken for blight disease in chickpea crop aga – News18 Gujarati

Abhishek Gondaliya. Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ચણાનું વાવેતર કરાયું છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોદે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કઠોળ વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં મોટા વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે. સુકારા નામનો રોગ બીજ અને જમીનજન્ય ફૂગ મારફતે ફેલાય છે. આ રોગના કારણે પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે. મૂળમાં કાળી લીટી જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજવું કે. સુકારા નામનો રોગ છે.

રોગને અટકાવવા શું કરવું જોઈએ

ચણાની જાતમાં પાંચ નંબર અથવા છ નંબરની જાતનું વાવેતર કરવાથી સુકારા નામનો રોગ ઓછો જોવા મળે છે. બીજનું વાવેતર કરવા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. અથવાફૂગ નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે. ચણાનો પાક લીધા બાદ બાજરી અથવા જુવારનું વાવેતર કરવું જોઈએ. જેથી ફૂગ આવવાનું પ્રમાણ ઘટે છે, જેથી સુકારો રોગ આવતો નથી.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Crop, Disease, Local 18

أحدث أقدم