જુનાગઢ18 મિનિટ પહેલા
- કૉપી લિંક

જૂનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ દિનની ઉજવણી નિમિત્તે માનવ અધિકાર શીર્ષક હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થાપી છે. આ યુનિવર્સિટીમાં ચાર જિલ્લાનું સંચાલન થાય છે. જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની કોલેજનો સમાવેશ આ યુનિવર્સિટીમાં થાય છે. આજે યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બંધારણના જતન અંગેના શપથ લેવડાવ્યા
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ રવિ ત્રિપાઠીએ ઓનલાઇન વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં જસ્ટિસ રવિ ત્રિપાઠીએ બંધારણના આમુખ જીવન જીવવાનો અધિકાર, કાયદાનું શાસન ,સ્ત્રીઓના હક, લોકશાહી , સરમુખત્યારશાહી, માનવ અધિકારો વગેરે પર વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓને આ સમગ્ર બાબત અંગે માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે આ વ્યાખ્યાનના અંતે ભારતની લોકશાહીનું મહત્વ સમજાવવા અર્થે બંધારણના જતન અંગેના શપથ લેવડાવ્યા હતા.

આ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા
આ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબરે કેમેસ્ટ્રી વિભાગના સુરેશ બારૈયા વિજેતા બન્યો હતો. આ સાથે સામાજિક વિભાગના વિદ્યાર્થીઓમાં દ્વિતીય ક્રમાંકે માકડીયા ધારા અને તૃતીય નંબરે સરવૈયા અમી વિજેતા બન્યા હતા.