Friday, December 16, 2022

રાજુલામાં શ્રીજીનગરનો રસ્તો બિસ્માર, તાકીદે સમારકામ કરો | Rajula to Srijinagar road dilapidated, repair it urgently

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રસ્તાની બાજુમાં ખુલ્લી ગટર હોવાથી આખો દિવસ દુર્ગંધ

રાજુલામા શહેરમા આવેલ શ્રીજીનગર વિસ્તારમા જવાનો માર્ગ ઘણા સમયથી બિસ્માર બની ગયો છે. અહી અનેક સ્થળે બ્લોક ઉખડી ગયા છે અને ખાડા પડી ગયા છે. અહી રસ્તાની એકબાજુ ખુલ્લી ગટર હોવાથી આખો દિવસ દુર્ગધ ફેલાઇ રહી છે.

જેના કારણે અહી મચ્છરનો ઉપદ્વવ પણ વધી રહ્યો હોય રોગચાળો ફેલાવાની પણ લોકોને ભીતિ સતાવી રહી છે.અહી તાકિદે માર્ગનુ મરામત કામ કરવામા આવે તેવુ રહિશો ઇચ્છી રહ્યાં છે. આ વિસ્તારમા જતો મુખ્ય માર્ગ હોવાથી અહી દિવસભર અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા તાકિદે આ માર્ગની મરામત કરવામા આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: