Saturday, December 10, 2022

Surat: બારડોલીમાં આદિવાસી સમાજના આગેવાનોની બેઠક, આદિવાસી મુખ્યમંત્રી બનાવવાની ઉઠી માગ

Surat: બારડોલીમાં આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. તેમા રાજ્યના નવા મંત્રીમંડળમાં આદિવાસી સમાજને યોગ્ય સ્થાન મળે તે અંગે તેમજ આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ડિસે 09, 2022 | 11:50 PM

ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં આદિવાસી મુખ્યમંત્રી બનાવવાની માગ થઇ રહી છે. બારડોલીમાં સર્કિટ હાઉસ ખાતે મળેલી આદિવાસી સમાજના આગેવાનોની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સાથે સાથે નવા મંત્રીમંડળમાં પણ આદિવાસી સમાજને યોગ્ય સ્થાન મળે તે અંગે આદિવાસી સમાજના આગેવાનોએ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. મહત્વપૂર્ણ છે કે 27 આદિવાસી અનામત બેઠકમાંથી 23 બેઠક પર ભાજપનો વિજય થયો છે.

ગુજરાતમાં 27 પૈકી 23 ST બેઠકો ભાજપને મળી

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ભાજપે ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબરજસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેમાં વર્ષ 2022 ની ચૂંટણીમા ભાજપ પર અનેક સમાજે ભરોસો મૂક્યો છે. જેમા ગુજરાતમાં આ વખતે આદિવાસી સમાજે પણ ભાજપને ભરપૂર મત આપ્યા છે. જેમાં વર્ષ 2017માં 27 આદિવાસી બેઠક પર કોંગ્રેસને 15 બેઠક મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠક મળી હતી. જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 23 બેઠક ભાજપને મળી છે. જે વર્ષ 2017માં માત્ર 12 બેઠકો સુધી સીમિત હતી. જેમાં મહત્વની બાબત એ છે કે આઝાદી સમયથી કોંગ્રેસની પરંપરાગત વ્યારા બેઠક જે સતત કોંગ્રેસે જીતી છે તેની પર ભાજપના ઉમેદવાર મોહન કોકાણીએ જીતી છે. જેના પરથી એ બાબત ફલિત થાય છે કે આદિવાસી મતો ભાજપ તરફ વળ્યા છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામાં 27 બેઠકો છે .ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ આદિવાસી વસ્તી – 89.17 લાખ છે અને તે કુલ વસ્તીના 15 ટકા છે. આ સમુદાય મોટાભાગે રાજ્યના 14 પૂર્વ જિલ્લામાં વસવાટ કરે છે.

Related Posts: