જ્યાં કેરીનો પાક થતો હોય છે ત્યાં હાલમાં આંબામાં મોર બેસવાની સિઝન ચાલી રહી છે પરંતુ બદલાયેલા વાતાવરણને (Weather) પગલે મોર કાળા પડીને ખરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

માવઠાને કારણે વિવિધ પાકમાં નુકસાનની ખેડૂતોને ચિંતા
છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. લો પ્રેશર સક્રિય હોવાને પગલે રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢમાં કમોસમી વરસાદ પડી શકે છે. અરવલ્લી, મહીસાગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં બદલાયેલી પરિસ્થિતિને હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે.
સૌરાષ્ટ્રમાં ફક્ત એક દિવસ માટે માવઠાની આગાહી છે. અન્ય જગ્યાએ બે દિવસ સુધી માવઠાની આગાહી છે. હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી ડાંગ માં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર વરસાદની શક્યતા છે. આ બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. સાથે જ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.
વલસાડમાં કેરીના પાકને નુકસાન
ખેડૂતોના મતે કમોસમી વરસાદને કારણે પાક બગડશે તેમજ કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે તેની સાથે જ પાકની જાળવણી માટે જંતુનાશક દવાના વપરાશ તેમજ ખાતર પાચતળ બમણો ખર્ચ કરવો પડશે તો ઘણા કિસ્સામાં પાક કોહવાઈ જતા નવેસરથી બિયારણ પણ નાખવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યાં કેરીનો પાક થતો હોય છે ત્યાં હાલમાં આંબામાં મોર બેસવાની સિઝન ચાલી રહી છે પરંતુ બદલાયેલા વાતાવરણને પગલે મોર કાળા પડીને ખરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
જોકે આ બદલાયેલા વાતાવરણને પગલે વિવિધ ખેતી પાક ઉપર આડઅસર થવાની શકયતાને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ પ્રમાણેનું વાતાવરણ શિયાળાના લીલોતરી શાકભાજી, રાયડો, રાજગરો સહિતના બાગાયતી પાક તેમજ ધાન્ય પાકોને નુકસાન કરી શકે છે.