Friday, December 9, 2022

ચૂંટણીના પરીણામો જાહેર થતા જુનાગઢના યુવાને વચન ખાતર કરાવ્યું મુંડન, ચૂંટણી સમયે કહ્યું હતું કે, 'આપ'ને એક બેઠક મળશે તો તે મુંડન કરાવશે | When the election results were declared, the youth of Junagadh got shaved for the sake of a promise, at the time of the election, he said that if 'Aap' gets a seat, he will get shaved.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • When The Election Results Were Declared, The Youth Of Junagadh Got Shaved For The Sake Of A Promise, At The Time Of The Election, He Said That If ‘Aap’ Gets A Seat, He Will Get Shaved.

ગીર સોમનાથ (વેરાવળ)10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યની વિધાનસભાની ચૂંટણી રોચક રહી છે. જેમાં ભાજપને ભવ્ય વિજય થયો છે. ત્યારે જૂનાગઢમાં એક રોચક ઘટના બની છે. જેમાં જૂનાગઢમાં ભાજપનાં સક્રીય કાર્યકર્તાએ ચૂંટણી પહેલા સોશિયલ મિડીયા પર કહ્યું હતુ કે, આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહી મળે અને એક બેઠક મળશે તો હું મુંડન કરાવીશ. ત્યારે આજે પરિમાણ આવ્યું, જેમા આપ પાર્ટીને પાંચ બેઠક મળી છે. જેથી વટ અને વચન ખાતર યુવાને આજે મુંડન કરાવ્યું હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો હતો. આજે વિધાનસભાની ચૂંટણીનું પરિમાણ જાહેર થયું છે. જેમાં ભાજપે ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખાસ બેઠક મળી નહીં, પરંતુ ચર્ચાનાં કેન્દ્રમાં રહી હતી. જૂનાગઢમાં પણ એક યુવાન આજે ચર્ચાનાં કેન્દ્રમાં આવ્યો છે. જૂનાગઢ ભાજપનાં સક્રીય કાર્યકર્તા ખીમજીભાઈ રામે આજે મુંડન કરાવ્યું છે. મુંડન પાછળનું કારણ જાણી લોકોને નવાઇ લાગે તેવું છે.

ખીમજીભાઇ રામે ચૂંટણી પહેલા સોશિયલ મિડીયામાં કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહી મળે અને આપને એક બેઠક મળશે તો પોતે મુંડન કરાવી નાખશે. ત્યારે આજે વિધાનસભાનું ચૂંટણીનું પરિણામ આવ્યું. તેમાં આમ આદમી પાર્ટીનો પાંચ બેઠક ઉપર વિજય થયો છે. ખીમજીભાઈ રામે સોશિયલ મિડીયા પર કહ્યાં મુજબ થયું નહી. અંતે પોતે વટ અને વચન માટે આજે મુંડન કરાવી નાખ્યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક આવતા મુંડન કરાવ્યું હતું. ખીમજીભાઇ રામે જણાવ્યું હતું કે, મેં કહેવા પ્રમાણે કરી બતાવ્યું છે. આપને પાંચ બેઠક મળતા મેં મુંડન કરાવ્યું છે. હું મારા વચન ઉપર કાયમી રહ્યો છું.

વાણંદ મુંડનનાં રૂપિયા ન લીધા
ખીમજીભાઇના વચનથી જૂનાગઢનાં વિમલભાઇ પરામાર પણ ખુશ થઇ ગયા હતાં. તેમને દુકાને મુંડન કરાવવા ગયા ત્યારે મુંડનનું કારણ જાણી તે પણ નવાઈમાં પડી ગયા હતાં અને મુંડનનાં રૂપિયા લીધા ન હતાં.

યુવાને સર્જીકલ સ્ટ્રાઇક વખતે માનતા રાખી હતી.
પુલવામાની ઘટના વખતે ખીમજીભાઈ રામ ખુબ જ વ્યથીત થયા હતાં. ભારત આ ઘટનાનો બદલો ન લે ત્યાર સુધી પગમાં બૂટ કે ચપલ ન પહેરવાની માનતા રાખી હતી. ભારતે પાકિસ્તાન સામે બદલો ન લીધો ત્યાં સુધી ખુલ્લા પગે રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: